28, May 2024

લોકોએ Tax કેમ ભરવો જોઈએ

Tax ચૂકવવો એ નાગરિકોની નૈતિક  અને કાનૂની જવાબદારી છે.

મહત્વનું છે કે Tax સામૂહિક રીતે સમાજની સુધારણા અને રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપે છે.

ગુજરાતના મોટા બિઝનેસ મેન ગોવિંદ ધોળકિયા દ્વારા આ બાબતે મહત્વની જાણકારી આપી.

તેમણે સૈનિકોનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે હું બોર્ડર પર જાઉ ત્યારે સૈનિકોને ઊભા જોઉ તો એમને પૈસા આપડા ટેક્સ માંથી જ મળે છે.

તો આપડે Tax ન ભરીએ તો એ સૈનિકો બોર્ડર પર ઊભા ન રહી શકે અને બધું પૂરું થઈ જાય.

તેમણે કહ્યું કે આપડી પાસે ગમે તેટલું હોય સૈનિકો ન હોય તો ઘરમાં આવીને લોકો લૂંટી જાય.

ગોવિંદ ધોળકિયાએ કહ્યું તમારે માંરે અને તમામ લોકોએ Tax ભરવો જોઈએ જેથી દેશ સરખી રીતે ચાલે અને સુરક્ષિત રહે.