મચ્છરને નથી ગમતી આ  ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર

24 એપ્રિલ, 2025

મચ્છર ઘણા રોગો ફેલાવે છે. જોકે, કેટલીક કુદરતી ગંધ એવી હોય છે જેનાથી તેઓ દૂર રહે છે. આ સુગંધનો ઉપયોગ કરીને મચ્છકને દૂર ભગાડી શકાય છે.

મચ્છરોને લીમડાના તેલની તીવ્ર ગંધ બિલકુલ ગમતી નથી. તેથી, જો તમે તમારી આસપાસ લીમડાનું  ઓઇલ રાખો છો તો મચ્છર ભાગી જશે.

લેમનગ્રાસની સુગંધ મચ્છરોથી સહન નથી થતી. તેથી, ઘરમાં અગરબત્તી, સ્પ્રે અથવા તેલના રૂપમાં તેનો ઉપયોગ કરવાથી મચ્છરો દૂર રહે છે અને ઘરમાં સુગંધ પણ આવે છે.

મચ્છરોને લવંડરની હળવી પણ તીવ્ર સુગંધ બિલકુલ ગમતી નથી. તેથી, તેને રૂમમાં રાખવાથી મચ્છરો દૂર થાય છે, પરંતુ મન પણ શાંત રહે છે.

કપૂરની ગંધ મચ્છરોને ભગાડવામાં ખૂબ અસરકારક છે. તેને બાળીને કે ઓગાળીને રૂમમાં રાખવાથી મચ્છર નજીક આવતા નથી અને પર્યાવરણ પણ સ્વચ્છ રહે છે.

તુલસીના છોડની સુગંધ મચ્છરોને દૂર રાખવામાં ખૂબ અસરકારક છે. તેથી, ઘરમાં તુલસીનો છોડ વાવવા એ મચ્છરોને ભગાડવાનો એક સરળ અને કુદરતી રસ્તો છે.

મચ્છર સિટ્રોનેલા તેલની તીવ્ર ગંધ સહન કરી શકતા નથી. તેને ડિફ્યુઝર કે મીણબત્તીમાં ભેળવીને રૂમમાં રાખવાથી મચ્છર નજીક આવતા નથી અને પર્યાવરણ સ્વચ્છ રહે છે.

ડુંગળી અને લસણની સ્મેલથી મચ્છરોને ખૂબ જ નફરત કરે  છે. તેથી, આ ખાવાથી અને રૂમમાં રાખવાથી, મચ્છર દૂર થાય છે.

ફુદીનાની ગંધ મચ્છરો માટે ખૂબ જ અસહ્ય હોય છે. તેથી, શરીર પર ફુદીનાનું તેલ લગાવીને અથવા રૂમમાં છંટકાવ કરીને મચ્છરોને અટકાવી શકાય છે.