25 ફેબ્રુઆરી 2024

દ્વારકા નગરી કેમ ડૂબી ગઈ? જાણો રહસ્ય

Courtesy : socialmedia

દ્વારકા ધામ, હિન્દુ ધર્મના ચાર મુખ્ય ધામોમાંનું એક, ભગવાન શ્રી કૃષ્ણની નગરી કહેવાય છે. દ્વારકા ધામ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં અરબી સમુદ્રની નજીક આવેલું છે.

Courtesy : socialmedia

શ્રી કૃષ્ણની દ્વારકા નગરી પાણીમાં ડૂબી જવાની અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે જેમાં મુખ્ય બે કારણો છે. ચાલો જાણીએ અહીં

Courtesy : socialmedia

જરાસંઘ દ્વારા લોકો પર થતા અત્યાચારને રોકવા માટે, શ્રી કૃષ્ણએ મથુરા છોડીને સમુદ્ર કિનારે એક દૈવી નગરીની સ્થાપના કરી. જેનું નામ દ્વારકા નગરી પડ્યું.

Courtesy : socialmedia

દંતકથા અનુસાર, મહાભારતમાં પાંડવોનો વિજય થયો અને કૌરવોનો નાશ થયો. આ પછી હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરના રાજ્યાભિષેક વખતે શ્રી કૃષ્ણ પણ ત્યાં હાજર હતા.

Courtesy : socialmedia

રાજ્યાભિષેક સમયે ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રી કૃષ્ણને દોષી ઠેરવ્યા અને તેમને શ્રાપ આપ્યો કે જેમ મારા કુળનો નાશ થયો છે તેવી જ રીતે તમારા કુળનો પણ નાશ થશે.

Courtesy : socialmedia

કહેવાય છે કે ગાંધારીના આ શ્રાપને કારણે મહાભારતના 36 વર્ષ પછી શ્રી કૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી.

Courtesy : socialmedia

અન્ય દંતકથા અનુસાર, બીજો શ્રાપ  કૃષ્ણના પુત્ર સાંબને મળ્યો હતો. જ્યારે મહર્ષિ વિશ્વામિત્ર, કણ્વ, દેવર્ષિ નારદ વગેરે દ્વારકા પહોંચ્યા ત્યારે યાદવ કુળના કેટલાક યુવાનોએ તેમની મજાક ઉડાવી અને ઋષિઓનું અપમાન કર્યું.

Courtesy : socialmedia

અપમાનથી ઋષિ ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો કે શ્રી કૃષ્ણનો આ પુત્ર યદુવંશી કુળનો નાશ કરવા માટે લોખંડનુ મૂસલ બનાવશે, અને તેનાથી  તે પોતે જ તેના કુળનો નાશ કરશે.

Courtesy : socialmedia