ભગવાનની મૂર્તિ કોઈને ભેટમાં આપવી જોઈએ કે નહીં ? પ્રેમાનંદ મહારાજ પાસેથી જાણો
Pic credit - google
ઘણીવાર લોકો જન્મદિવસ, વર્ષગાંઠ કે કોઈપણ ધાર્મિક તહેવાર પર એકબીજાને ભગવાનની મૂર્તિ કે ફોટો ભેટમાં આપે છે.
Pic credit - google
ત્યારે આજકાલ આ ચલણ ખુબ વધી રહ્યું છે, પરંતુ શું ભગવાનની મૂર્તિ કોઈને ભેટમાં આપવી જોઈએ કે નહીં ચાલો પ્રેમાનંદ મહારાજે શું કહ્યું તે જાણીએ
Pic credit - google
વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજે ભગવાનની મૂર્તિ ભેટમાં આપવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
Pic credit - google
પ્રેમાનંદ મહારાજે કહ્યું કે ભગવાનની મૂર્તિ કોઈને ભેટમાં ના આપવી જોઈએ, તેમજ જો તમને ભેટમાં મૂર્તિ આપવામાં આવે તો તમારે તે લેવી પણ ન જોઈએ.
Pic credit - google
વધુમાં પ્રેમાનંદ મહારાજે કહ્યું કે જો કોઈ વ્યક્તિ તમને ભગવાનની મૂર્તિ ભેટમાં આપે છે, તો તે મૂર્તિને નમન કરો અને તેને ગળે લગાવો અને તે વ્યક્તિને પાછી આપી દો.
Pic credit - google
પ્રેમાનંદ મહારાજે આનું કારણ સમજાવતા કહ્યું કે ઠાકુરજી પહેલાથી જ આપણા ઘરમાં હાજર છે, તેથી આપણે તેને ફરીથી કોઈની પાસેથી લઈ શકીએ નહીં અને તેને શો પીસ તરીકે રાખી શકીએ નહીં.
Pic credit - google
જ્યારે ઠાકુરજી આવ્યા હોય, ત્યારે તેમનું સન્માન અને સેવા કરવી પડે છે પણ આપણે ગિફ્ટના રુપમાં તેને સજાવીને મુકી દઈએ છીએ
Pic credit - google
પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું હતું કે લોકો લગ્ન કાર્ડ પર ભગવાનનો ફોટો છપાવે છે અને તે પાર્ડ પછી ફેંકી દે છે. આ ભગવાનનું અપમાન છે.
Pic credit - google
તેમજ જો તમે કોઈને ભગવાનની મૂર્તિ કે ફોટો ભેટ કરો છો તો તમે તમારા ઘરમાંથી ભગવાનને દૂર કરો છો તેમ માનવામાં આવે છે.