28 April 2025

નદીઓમાં સિક્કા ફેંકવાથી ખરેખર મનોકામના પૂર્ણ થાય છે? પ્રેમાનંદ મહારાજે કહ્યું સત્ય

Pic credit - google

માન્યતા છે કે નદીઓમાં સિક્કો ફેંકવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે આ અંગે સંત પ્રેમાનંદ મહારાજે તેમના પ્રવચનમાં વાત કરી છે

Pic credit - google

પ્રવચન દરમિયાન, પ્રેમાનંદ મહારાજે કહ્યું, ' ગંગાજી કે યમુનાજીમાં એક રૂપિયાનો લોટ લો અને તે ગોટી બનાવીને નદીમાં ફેંકી દો. તો માછલીઓ અને કાચબા ખાઈ જશે.'

Pic credit - google

પણ તે જ 1 રુપિયો નદીમાં ફેકવાનો શું અર્થ? તેના બદલે  પૈસા ભેગા કરી જરુરિયાત વ્યક્તિ માટે કઈક ખરીદો, ગંગા કે યમુનાજીમાં પૈસા ફેંકવાની જરૂર નથી.'

Pic credit - google

'કોઈ પણ શાસ્ત્ર આ કરવાની પરવાનગી આપતું નથી. આ બધું મનમાની આચરણ છે.'

Pic credit - google

પ્રેમાનંદ મહારાજે આગળ કહ્યું, 'જો તમે તે 1-1 રુપિયો દાન કરવા માંગતા હોય, તો તેને એકત્રિત કરો અને પિગી બેંક બનાવો.'

Pic credit - google

એક સમયે એક રૂપિયો બચાવો અને જ્યારે પિગી બેંક 100 રૂપિયાથી ભરાઈ જાય, ત્યારે લીલો ચારો ખરીદો અને ગાયને ખવડાવો કે પછી કોઈ બિમાર વ્યક્તિને આપો

Pic credit - google

તે 100 રૂપિયાથી ગરીબ વ્યક્તિ માટે ખોરાક પણ લઈ શકો છો તો પછી નદીમાં પૈસા ફેંકવાનો શું ફાયદો?'

Pic credit - google

પ્રેમાનંદ મહારાજ આગળ કહે છે કે, 'નદીમાં સિક્કો ફેંકવાથી કોઈ ઇચ્છા પૂર્ણ થતી નથી, પરંતુ તે પાણીમાં રહેતા જીવોને જ નુકસાન પહોંચાડે છે.'

Pic credit - google