ઘરમાંથી ઝટપટ ભાગશે ગરોળી, બસ કરી લો આ દેશી ઉપાય

1 Sep 2025

Pic credit - iStock

By: Mina Pandya

મોરના પીંછા ગરોળીથી બચવાનો એક પરંપરાગત રસ્તો છે. એવું માનવામાં આવે છે કે ગરોળી મોરના પીંછાથી ડરે છે કારણ કે મોર ગરોળીનો શિકારી છે. ઘરમાં મોરના પીંછા રાખવાથી ગરોળી દૂર રહે છે.

મોરના પીંછા

Pic credit - iStock

ગરોળી ગરમ અને ભેજવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. જો તમે ગરોળી પર ઠંડુ પાણી રેડો છો, તો તે થોડા સમય માટે સુસ્ત બની જાય છે, જેનાથી તેને પકડવામાં અને બહાર કાઢવામાં સરળતા રહે છે.

​ઠંડુ પાણી​

Pic credit - iStock

ફૂદીનાના તેલની તીવ્ર ગંધ ગરોળીને બળતરા કરે છે. તમે ફુદીનાના તેલને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બનાવી શકો છો અને તેને ઘરના ખૂણામાં સ્પ્રે કરી શકો છો.

Pic credit - iStock

ફુદીનાનું તેલ

મરીનો સ્પ્રે ગરોળીને ખૂબ જ બળતરા કરે છે. સ્પ્રે બોટલમાં પાણી અને મરીનો પાવડર મિક્સ કરી તેનું દ્રાવણ બનાવો. આ દ્રાવણને એવી જગ્યાએ સ્પ્રે કરો જ્યાં ગરોળી વારંવાર દેખાય છે.

Pic credit - iStock

કાળા મરીનો સ્પ્રે

કોફી પાઉડર અને તમાકુ મિક્સ કરીને નાની-નાની ગોળીઓ બનાવી લો. આ ગોળીઓ એવી જગ્યાએ મૂકો જ્યાં ગરોળી આવે છે. આ મિશ્રણની તીવ્ર ગંધ ગરોળીને દૂર ભગાડી દેશે.

Pic credit - iStock

કોફી અને તમાકુનુ મિશ્રણ

ગરોળીને નેપ્થેલિન બોલ્સની તીવ્ર ગંધ ગમતી નથી. તેને ઘરના ખૂણામાં, કબાટ નીચે અને દરવાજા પાસે રાખવાથી ગરોળી દૂર રહે છે.

Pic credit - iStock

​નેપ્થેલિન બોલ્સ​

ગરોળીને ડુંગળી અને લસણની તીખી ગંધ ગમતી નથી. તમે ઘરના ખૂણામાં જ્યાં ગરોળી આવે છે ત્યાં ડુંગળીના કેટલાક ટુકડા અથવા લસણની કેટલીક કળી રાખી શકો છો. તમે આ બંનેનો રસ કાઢીને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે પણ કરી શકો છો.

Pic credit - iStock

ડુંગળી અને લસણ

ગરોળીને ડુંગળી અને લસણની તીખી ગંધ ગમતી નથી. તમે ઘરના ખૂણામાં જ્યાં ગરોળી આવે છે ત્યાં ડુંગળીના કેટલાક ટુકડા અથવા લસણની કેટલીક કળી રાખી શકો છો. તમે આ બંનેનો રસ કાઢીને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે પણ કરી શકો છો.

Pic credit - iStock

ઈંડાના છીલકા