03 July 2026

તુલસી રોપતા પહેલાં જાણી લો આ મહત્વના 7 વાસ્તુ નિયમો

Photo Credit - iStock

હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

તુલસી ભગવાન વિષ્ણુજી અને દેવી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે.

સવારે સ્નાન કર્યા પછી પહેલા તુલસીના છોડને પાણી અર્પણ કરવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારના દિવસો તુલસીના છોડ રોપવા માટે શુભ છે.

ઉપરાંત કાર્તિક મહિનામાં અને એકાદશીના દિવસે તુલસીનું વાવેતર ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

સોમવારે ઘરમાં ક્યારેય તુલસીનો છોડ લગાવવો નહીં.

તુલસીની આસપાસ હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર મુજબ, તુલસીની નજીક ક્યારેય સાવરણી રાખવી નહીં.

તુલસીની નજીક ક્યારેય ચપ્પલ કે જૂતા ન રાખવા નહીં.

એકાદશીના દિવસે ક્યારેય તુલસીના પાંદડા તોડવા નહીં.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે.