હવે ધડાધડ શરીરમાં વધશે કેલ્શિયમ

10 Aug 2024

કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

કેલ્શિયમની ઉણપને કારણે, તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, 'કેલ્શિયમ હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં તેની ઉણપને પૂરી કરવા માટે તમે બદામ, અંજીર અને આમળા જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો.

શરીરમાં કેલ્શિયમની માત્રા વધારવા માટે બદામનું સેવન કરી શકાય છે. બદામમાં પ્રોટીન, ફાઈબર અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

આમળામાં કેલ્શિયમ, આયર્ન, ફાઈબર અને ઓમેગા-3 જેવા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમજ તેનું સેવન કરવાથી સંધિવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

અંજીર શરીરમાં કેલ્શિયમની માત્રા વધારવામાં મદદ કરે છે. તેમજ તેનું સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે.

રાગી શરીરમાં કેલ્શિયમની માત્રા વધારવામાં મદદ કરે છે. સાથે જ તેમાં રહેલા ફાઈબર પેટની પાચન પ્રણાલીને સુધારવામાં મદદ કરે છે.

ફણગાવેલા મગને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમજ તેને ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

All Image - Cnava