09 July 2025

ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુઓ ઘરે લાવો, પૈસાની અછત ક્યારેય નહી રહે 

આ વખતે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ મનાવવામાં આવશે. હિન્દુ પંચાંગ અનુસાર, ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. 

10 જુલાઈ

ગુરુ પૂર્ણિમાને અષાઢી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. 

અષાઢી પૂર્ણિમા

એવું માનવામાં આવે છે કે, વેદોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. 

મહર્ષિ વેદ વ્યાસનો જન્મ

જણાવી દઈએ કે, આ દિવસે મહર્ષિ વેદ વ્યાસની સાથે ભગવાન હરિ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.  

કોની-કોની પૂજા થાય છે?

વર્ષમાં જેટલી પણ પૂર્ણિમા આવે છે, તે દરેક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવું એ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. 

પૂર્ણિમાના દિવસે શું કરવું?

એવામાં ચાલો જાણીએ કે, ગુરુ પૂર્ણિમાના દિવસે ધનથી જોડાયેલી કઈ-કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ. 

કઈ વસ્તુઓ ઘરે લાવવી?

ગુરુ પૂર્ણિમાના અવસરે ઘરે ભગવદ્ ગીતા અવશ્ય લાવવી જોઈએ. ગીતાનો પાઠ કરવાથી જીવનની બધી મુશ્કેલીનો અંત આવે છે અને મનને શાંતિ મળે છે. 

ભગવદ્ ગીતા 

આ સિવાય શ્રી યંત્રને પણ ઘરે લાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, ધનની દેવી 'માં લક્ષ્મી'નો વાસ શ્રી યંત્રમાં હોય છે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે.

શ્રી યંત્ર

ગુરુ પૂર્ણિમાના અવસર પર ઘરે લાફિંગ બુદ્ધા લાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. 

લાફિંગ બુદ્ધા

લાફિંગ બુદ્ધાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, જે ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. 

સુખ અને સમૃદ્ધિનું પ્રતીક