16 june, 2024

શરીરમાં કઈ વસ્તુઓની ઉણપને કારણે વાળ ખરે છે?

આજકાલ મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા સ્ત્રી અને પુરુષ બંનેને થઈ શકે છે.

શરીરમાં ઘણી વસ્તુઓની ઉણપને કારણે વાળની સમસ્યા થતી હોય છે. આજે અમે તમને શરીરના વિટામિન્સની ખામી અને વાળની સમસ્યા વિશે જણાવશું.

શરીરમાં કેટલાક વિટામિન્સ અને અન્ય પોષક તત્વોની ઉણપને કારણે વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા આહારમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવા જોઈએ.

વિટામિન ડીની ઉણપને કારણે વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં વાળ પાતળા અને નિસ્તેજ લાગે છે. આ વિટામિન ઈંડાની જરદી, માછલી અથવા ફોર્ટિફાઈડ ડેરી ઉત્પાદનો ખાવાથી વધારી શકાય છે.

વિટામિન A ની ઉણપને કારણે વાળ નબળા પડી જાય છે. વિટામિન A વધારવા માટે તમે નારંગી, બટેટા, ગાજર, કેપ્સિકમ જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો.

વિટામીન E ની ઉણપને કારણે વાળમાં ફાટી અને છેડેથી બે મુખ વાળા થઇ જાય છે. તમે સૂર્યમુખીના બીજ, પાલક, બદામ, એવોકાડો અને  સેવન કરીને આ વિટામિનની ઉણપને દૂર કરી શકો છો.

વિટામીન સીની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, ત્વચા કાળી પડે છે અને વાળ ખરવા લાગે છે. તેને બ્રોકોલી, કેપ્સિકમ, અન્ય સાઇટ્રસ ફ્રુટ્સ અને સ્ટ્રોબેરી જેવી વસ્તુઓ સાથે ખાઈ શકાય છે.

ફોલિક એસિડ વાળના વિકાસ અને અકાળે સફેદ થતા અટકાવે છે. આ માટે તમે ઈંડા, લાલ માંસ, માછલી, પાલક અને એવોકાડો વગેરેનું સેવન કરી શકો છો.