Chanakya Niti: આ ત્રણ ઘરોંમાં ક્યારેય નથી ટક્તી લક્ષ્મી, કંગાળ રહે છે પરિવાર

4 Feb 2025

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે કેટલાક ઘર એવા હોય છે જ્યાં દેવી લક્ષ્મી જવાનું ટાળે છે.

આચાર્ય ચાણક્ય અનુસાર, દેવી લક્ષ્મી આ ઘરોમાં ક્યારેય વાસ કરતી નથી. માતા લક્ષ્મી બહારથી જ પરત ફરી જાય છે.

આચાર્ય ચાણક્ય અનુસાર, આવા ઘરોમાં રહેતા લોકોને હંમેશા આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક ઘરમાં શાંતિ હોવી જોઈએ. વિના કોઈ કારણ માહોલ અશાંત ન રહેવો જોઈએ.

આચાર્ય ચાણક્ય અનુસાર, જો ઘરમાં ક્લેશ ખૂબ વધી જાય ત્યાં  ધનની દેવી ક્યારેય વાસ નથી કરતી.

જે ઘરમાં ભગવાનનું નામ લેવાતું ન હોય ત્યાં હંમેશા આર્થિક સમસ્યા રહે છે. માતા લક્ષ્મી આવા ઘરોમાં ક્યારેય પ્રવેશતી નથી.

ઘરમાં જો ભગવાનનું નામ લેવામાં આવે અને પૂજા સમયસર કરવામાં આવે તો આર્થિક સમસ્યા નથી થતી.

આચાર્ય ચાણક્યના મતે, જો ખરાબ કમાણી ઘરમાં આવે છે તો ત્યાં હંમેશા સમસ્યાઓ રહે છે.

ખોટા માધ્યમથી કમાયેલું ધન કોઈપણ ઘરમાં આવે તો દેવી લક્ષ્મી એક ક્ષણ પણ ત્યાં રોકાવાનું પસંદ નથી કરતી.