ફળ અને શાકભાજીની છાલ તમને ઘણા રોગોથી આપશે રાહત

ફળો અને શાકભાજી કાપ્યા પછી તેની છાલ ડસ્ટબીનમાં ફેંકી દેવામાં આવે છે

 પરંતુ તમે આ છાલને સીધુ પીસી શકો છો અથવા તેને સૂકવીને તેનો ઝીણો પાવડર બનાવી લો તો તેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે 

કેળાની છાલમાં પોટેશિયમ, ફાઈબર અને એમિનો એસિડ જેવા જરૂરી પોષક તત્વો હોય છે. તેઓ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેમાં હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ સામે લડવાની શક્તિ છે

અનાનસની છાલમાં વિટામિન સી અને મેગ્નેશિયમ મળી આવે છે , જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેની છાલમાંથી સ્ક્રબ બનાવી શકો છો

લીચીની છાલ સ્વાદ અને આરોગ્યથી ભરપૂર, લીચીની છાલ તમારા ચહેરાને સુંદર બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે પગમાં પડતા વાઢિયાને સ્વચ્છ અને નરમ પણ બનાવે છે

તરબૂચની છાલમાં વિટામિન A અને C, પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય મહત્વપૂર્ણ તત્વો હોય છે. જે હાઈ બીપી ઘટાડે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજન ઘટાડે છે

બટાકાની છાલમાં કેલ્શિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બીપી, વધારે વજન, એનિમિયા અને નબળા હાડકાની સમસ્યામાં રાહત મળે છે

પપૈયાની છાલમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ચામડીના રોગો, પાચન, બળતરા, વજન વધવાની સમસ્યાને ઓછી કરે છે

નારંગીની છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી હોય છે. જે આંખો, દાંત, ત્વચા, સોજો અને ડાયાબિટીસ, ફેફસા જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં ખૂબ જ સારી માનવામાં આવે છે

ભોજન બનાવવા માટે કયું તેલ છે શ્રેષ્ઠ ? જાણો અહીં