રસોડાની ઉપર કે નીચે બેડરૂમ હોવો અશુભ માનવામાં આવે છે. આ પાછળ ઘણા ધાર્મિક, ઉર્જા-સંતુલન અને માનસિક કારણો હોય છે.
રસોડાના વાસ્તુ દોષ
રસોડું અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે શયનખંડ શાંતિ અને સ્થિરતાનું સ્થાન છે. જો બેડરૂમ રસોડાની ઉપર કે નીચે હોય તો આ બે વિરોધી તત્વોનો સંઘર્ષ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં આને નકારાત્મક માનવામાં આવે છે.
અગ્નિ-જલ તત્વો
જો દંપતીનો બેડરૂમ રસોડાની ઉપર હોય તો તે સંબંધોમાં તણાવ, ઝઘડા અને મતભેદ વધારી શકે છે. કારણ કે ઉર્જા સંતુલન ખોરવાઈ જાય છે.
વૈવાહિક સંબંધ
રસોડામાં સતત ઉર્જાનો પ્રવાહ રહે છે. જેમ કે રસોઈ બનાવવી, લોકોનું આવવું-જવું વગેરે. આ ઉર્જા બેડરૂમમાં અશાંતિ પેદા કરી શકે છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં શાંત અને સ્થિર ઉર્જાનો પ્રવાહ હોવો જોઈએ.
ઉર્જા અસંતુલન
રસોડાની ઉપર બેડરૂમ રાખવાથી ઘરની સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડે છે અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે.
આર્થિક નુકસાન
તત્વોનું અસંતુલન ઘરના સભ્યો વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે. રસોડાની ઉપર કે નીચે બેડરૂમ રાખવાથી ઘરના લોકોમાં સંબંધ અને પ્રેમનો અભાવ થઈ શકે છે.
સંબંધોમાં તણાવ
રસોડામાં ઘણી પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે. જેમાંથી કેટલીક નકારાત્મક હોઈ શકે છે જેમ કે ખોરાકનો કચરો અથવા સફાઈ. તેથી બેડરૂમ રસોડાની બરાબર ઉપર કે નીચે ન હોવો જોઈએ.