એકસાથે નવ સેમી હાઇ સ્પીડ ટ્રેન 'વંદે ભારત' એક્સપ્રેસનો શુભારંભ

24 સપ્ટેમ્બર 2023

જામનગર-અમદાવાદ રેલવે રુટની સૌથી ઝડપી 'વંદે ભારત' ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના નેતૃત્વમાં ભારતે સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે.

'મેક ઈન ઈન્ડિયા' તથા 'આત્મનિર્ભર ભારત'ના સૂત્રને સાર્થક કર્યું છે.

જામનગર-અમદાવાદની ટ્રેનમાં મુસાફરો સગવડ સાથે આરામદાયક મુસાફરી કરી શકશે.

રાજકોટ, જામનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સ્ટેશન ખાતે સ્ટોપ કરનારી 'વંદે ભારત' ટ્રેનથી વેપાર-ધંધાને ફાયદો થશે. 

લોકોની લાગણી અને માંગણીને માન આપીને આ ટ્રેનનો રૂટ દેવભૂમિ દ્વારકા સુધી લંબાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

PM મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાના ઉદ્દેશથી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે દેશમાં જ આ ટ્રેનનું નિર્માણ કરાયું છે. 

આનંદદાયક મુસાફરી માટે આ ટ્રેનની ચેર 360 ડિગ્રીએ ફરી શકે છે. 

વંદેભારત ટ્રેન લોંચિંગ કાર્યક્રમમાં કલાકારોએ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતાં.

સચિન તેંડુલકરે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં કરી મહાદેવની પૂજા-અર્ચના