08 November 2023

દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે

Pic credit - Freepik

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે

આવો જાણીએ આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માટે વાસ્તુ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે.

જો ઘરમાં તૂટેલા વાસણો અને ફર્નિચર હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો અને ઘરના કોઈપણ ખૂણામાં કચરો જમા ન થવા દો

ખાતરી કરો કે ઘરના દરેક ભાગમાં લાઇટ ચાલુ અવસ્થામાં હોય અને દિવાળી દરમિયાન ઘરના દરેક ખૂણાને પ્રકાશિત રાખો

વાસ્તુ અનુસાર ઘરની નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવા માટે પાણીમાં મીઠું મિક્સ કરી રોજ પોતા કરો

વાસ્તુ અનુસાર દીપોત્સવના પાંચ દિવસ દરમિયાન દરરોજ રંગોળી બનાવવી જોઈએ.રંગોળી બનાવતી વખતે શ્રી બનાવવાનું ભૂલશો નહીં

દિવાળી પર માટીના દીવા પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.આ દિવસે સવારે અને સાંજે કપૂર સળગાવો

વાસ્તુ અનુસાર દિવાળીની સજાવટ દરમિયાન ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણીથી ભરેલું વાસણ રાખો

દિવાળીના દિવસે મુખ્ય પ્રવેશદ્વાર પર આંબા અથવા આસોપાલવના પાનનું તોરણ ઘરના દરવાજે અવશ્ય લગાવો

ધનતેરસ પર સોનું, ચાંદી, વાસણો, સાવરણી સાથે મીઠું પણ અવશ્ય ખરીદો, ઘરની તમામ મુશ્કેલી થશે દુર