ડાબી સુંઢવાળા શ્રી ગણપતિ દાદાના દર્શન

13 સપ્ટેમ્બર 2023

મહેસાણા જીલ્લાના ઊંઝાથી માત્ર 4 કિલો મીટરના અંતરે આવેલું આ ગણપતિદાદાનું ભવ્ય મંદિર

પુષ્પાવતી નદીના કિનારે બિરાજમાન છે ગણપતિદાદા

ગણપતિનું ભવ્ય મંદિર શિલ્પકલાના નમુના રૂપ છે. 

આ મંદિરમાં બિરાજમાન ગણપતિદાદાની પ્રતિમાની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુની મૂર્તિ નથી

 પરંતુ ગણપતિદાદાની પ્રતિમા રેણું (માટી)માંથી બનાવેલ છે. 

આ પ્રાચીન મૂર્તિને સિંદુર અને ઘી નો લેપ (ચોળો) લગાવામાં આવે છે. 

આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. 

ભારતભરમાં ભાગ્યે ડાબી સુંઢવાળા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે.

ડાબી સુંઢવાળી આ મૂર્તિના દર્શન કરવા લાખો ભક્તો વારંવાર ઐઠોર મુકામે દાદાના દર્શન કરવા માટે આવે છે.

 આ અલૌકિક મંદિરના ઈતિહાસને લઈને પણ વિવિધ દંતકથાઓ જોડાયેલ છે. 

ગણેશ ચતુર્થી પર આટલી વાતોનું ધ્યાન રાખો, બાપ્પાને કરો પ્રસન્ન