11 November 23

દિવાળી સમયે પૂજાના ઉપયોગમાં લેવાતા તેમજ ડેકોરેશનમાં ઉપયોગમાં લેવાતા ફુલોના ભાવ વધ્યા છે.

ઘરની રોનક અને મહેંક વધારતા ફુલોની દિવાળીમાં ધૂમ ખરીદી થાય છે ત્યારે માગ વધતા બજારોમાં તેજી જોવા મળી છે

ગલગોટાની માગ વધતા ભાવમાં વધારો થયો છે. જે ગલગોટા 40 રૂપિયાના વેચાતા હતા તેના હાલ 60 થી 100 રૂપિયા થયા છે. 

ડેકોરેશનમાં વપરાતા સેવંતીના ભાવમાં પણ વધારો થયો છે. જે સેવંતીના ફુલો પહેલા 70 રૂપિયાના વેચાઈ રહ્યા હતા તેના 150 થયા છે. 

દિવાળીમાં લોકો પોતાના ઘરના મેઈન દરવાજે આસોપાલવના તોરણ બાંધતા હોય છે. આ આસોપાલવમાં પણ 10 ટકા ભાવ વધ્યા છે.

જે ગુલાબ પહેલા 80 રૂપિયે મળતા હતા તેના 120 થયા છે. ગુલાબ અને સેવંતીના ફુલો ઘણા મોંઘા થયા છે 

ડેકોરેશનમાં વપરાતા સેવન્તીના ફુલો પણ મોંઘા થયા છે. સેવન્તીના ભાવ પહેલા 70 રૂપિયા હતો હવે 150 થયા છે

દિવાળી સમયે ફુલોની માગ વધુ રહે છે લોકો ભાવ વધુ હોવા છતા ફુલો ખરીદી રહ્યા છે. જોકે ભાવ વધારાના કારણે લોકોના બજેટ પર અસર પડી રહી છે 

ગલગોટાના ફુલો મધ્યપ્રદેશથી આવે છે. ત્યાં આ વખતે ખેડૂતોએ અન્ય ખેતી કરતા ગલગોટાની અછત છે અને માગ વધી છે

રોકાણ કરવા માટે સારો સમય છે દિવાળી

11 નવેમ્બર 2023

Pic Credit- Social Media