ભારતનું એક એવું ગામ જ્યાં લોકો નથી પહેરતા બુટ કે ચપ્પલ

12 Oct, 2024

ભારતીય લોકો ઘરોને મંદિર જેવા માને છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ઘરની અંદર બુટ કે ચપ્પલ  પહેરતા નથી.

જો કે દક્ષિણ ભારતમાં એક એવું ગામ છે જ્યાં લોકો બુટ કે ચપ્પલ પહેરતા નથી. અહીંના લોકો પગરખાં અને ચપ્પલ વિના આખા ગામમાં ફરે છે.

એક મીડિયા અહેવાલ મુજબ ચેન્નાઈથી લગભગ 450 કિલોમીટરના અંતરે આંદામાન નામનું એક ગામ છે.

આંદામાનના ગામડાઓમાં રહેતા લોકો ખેતીકામ કરે છે. આ લોકો પગરખાં અને ચપ્પલ વિના તેમના ખેતરોમાં પણ જાય છે.

મહત્વનું છે કે વૃદ્ધ અથવા બીમાર લોકો તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ચપ્પલ અથવા બુટ પહેરે છે. કેટલાક લોકો ઉનાળાની ઋતુમાં જમીનની ગરમીને કારણે ચપ્પલ પહેરે છે.

તમને જણાવી દઈએ કે આંદામાનના ગામડાઓમાં બાળકો પણ ચંપલ અને બુટ વિના શાળાએ જાય છે. આ ગામના કેટલાક લોકો જરૂર પડ્યે વાપરવા માટે બૂટ કે ચપ્પલને પર્સની જેમ હાથમાં લટકાવી રાખે છે.

આંદામાન ગામના લોકો માને છે કે તેમનું ગામ મુથ્યાલમ્મા નામની દેવી દ્વારા સુરક્ષિત છે. આ દેવીના માનમાં અહીંના લોકો જૂતા અને ચપ્પલ પહેરતા નથી.

આંદામાન ગામના લોકો આખા ગામને મંદિર માને છે. જેના કારણે આખા ગામમાં લોકો ખુલ્લા પગે ફરે છે.

આંદામાનના ગામમાં બહારથી કોઈ મહેમાન આવે તો ગામલોકો તેને આ પરંપરા વિશે જણાવે છે. જો કે, તેને આ પ્રથાનું પાલન કરવાની ફરજ પાડવામાં આવતી નથી.

તમને જણાવી દઈએ કે આંદામાનના ગામડાઓમાં લાંબા સમયથી એવી માન્યતા છે કે જો તેઓ ચપ્પલ અને ચંપલના નિયમનું પાલન નહીં કરે તો ગામમાં રહસ્યમય તાવ ફેલાઈ જશે, જેના કારણે લોકોના મોત થશે.

નોંધ: અહીં આપવામાં આવેલી વિગતો ધાર્મિક માન્યતાઓના આધારે પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતના આધારે છે. 

photos - Getty Images