15 October 2023

નવરાત્રીના 9 દિવસ આ રંગોના કપડાં પહેરો, દેવી માતા થશે પ્રસન્ન

Pic credit - social media

નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. સફેદ રંગના વસ્ત્રો પહેરીને તેની પૂજા કરવી જોઈએ.

બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે તેને લીલો રંગ ખૂબ જ પસંદ છે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. તેમને નારંગી રંગ ખૂબ ગમે છે.

નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. આ માતાજીની પૂજા લીલા કપડાંમાં કરવી.

આ દિવસે સ્કંદમાતાના રૂપમાં માતાની પૂજા કરવામાં આવે છે, તેમને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે.

છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમને લાલ રંગ ખૂબ જ ગમે છે

નવરાત્રિના સાતમા દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરીને કાલરાત્રિની પૂજા કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે.

નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા ગુલાબી કપડાં પહેરીને કરવી જોઈએ.

નવરાત્રિના છેલ્લા એટલે કે નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે, તેમને જાંબલી રંગ ખૂબ જ પસંદ છે.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ફળો ખાવાથી મળે છે ઈન્સ્ટન્ટ એનર્જી