નવરાત્રિના 9 દિવસ દેવીમાતાને કયો ભોગ ધરાવાશો , જાણો અહીં

16 ઓક્ટોબર 2023

નવરાત્રીના પ્રથમ દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘીનો ભોગ ધરાવામાં આવે છે જેનાથી સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે.

બીજો દિવસ બ્રહ્મચારિણીનો દિવસ છે. દેવીની પૂજા કર્યા બાદ તેમને સાકરનો ભોગ ધરાવામાં આવે છે

નવરાત્રીના ત્રીજા દિવસે માતાને દૂધ, મીઠાઈ અથવા ખીર અર્પણ કરવામાં આવે છે

ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે આથી માતાને માલપુઆનો ભોગ અર્પણ કરવામાં આવે છે

સ્કંદમાતાની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ માતાને કેળાનો ભોગ ધરાવાય છે 

માતા કાત્યાની વાઘ પર સવારી કરે છે. દેવી માતાને મધ ભોગમાં ધરાવામાં આવે છે

સાતમો દિવસ મા કાલરાત્રીનો માનવામાં આવે છે. તેમની પૂજા કર્યા પછી ગોળનો ભોગ ધરાવવો

નવરાત્રીના આઠમા દિવસે માતા રાનીને નારિયેળનો ભોગ ધરાવાય છે

નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે નવમી તિથિના દિવસે તલનો ભોગ કરવામાં આવે છે

નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ફળો ખાવાથી મળે છે ઈન્સ્ટન્ટ એનર્જી