08 એપ્રિલ 2024

તરબૂચ કેમિકલ વાળું છે કે ઓર્ગેનિક તેની આ રીતે ઓળખો

Pic credit - Freepik

ઉનાળો શરુ થતાં જ સિઝનેબલ ફળો ખાવાનું લોકો શરુ કરી દે છે. તેમાં પણ ખાસ તરબૂચ.

સિઝનેબલ ફળો

તરબૂચ ખરીદતી વખતે કયું અસલી અને કયું કેમિકલ વાળું તેને કેવી રીતે ઓળખવું.

તરબુચને ઓળખો

કેટલાક લોકો કહે છે કે તરબૂચ અંદરથી લાલ હોય છે અને તે અસલી છે પરંતુ તેની કોઈ ગેરંટી નથી, તે દવા વાળું પણ હોઈ શકે છે.

લાલ તરબૂચ

FSSAIએ જણાવ્યું કે, તરબૂચની અંદર એરિથ્રોસિન નામનું કેમિકલ નાખવામાં આવે છે, જેના કારણે તે અંદરથી લાલ દેખાવા લાગે છે.

FSSAIએ જણાવ્યું

ઓરિજનલ તરબૂચને ઓળખવા માટે FSSAI એ કહ્યું છે કે તરબૂચને બે ભાગમાં કાપી લો અને બંનેના એક ભાગ પર રુ નો એક નાનો બોલ(પુમડું) ઘસો.

આઇડેન્ટિફિકેશન ટેસ્ટ

જો તમારા રુ પર કોઈ કલરના થાય તો તે ઓર્ગેનિક છે અને તેને પકાવવા માટે કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

મીઠા તરબૂચની ઓળખ

દવા વાળું તરબૂચ દ્વારા પેટમાં પ્રવેશતા એરિથ્રોસિન કેમિકલને કારણે તમને ઉલ્ટી, પેટમાં દુખાવો, ઝાડા, ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

દવા વાળું તરબૂચના ગેરફાયદા

ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે તમારે તરબૂચ અવશ્ય ખાવું જોઈએ. લાઇકોપીનની સાથે તેમાં અન્ય ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે.

તરબૂચના ફાયદા