શું તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? માત્ર 2 રૂપિયાના ખર્ચે છોડ થશે ફરી જીવંત 

20 July, 2024

ધર્મની માન્યતાઓ અનુસાર, તમને ભારતના દરેક આંગણામાં તુલસીનો છોડ જોવા મળશે.

આ છોડમાં ભક્તોને જેટલી શ્રદ્ધા હોય છે. શારીરિક રોગો માટે પણ તે એટલું જ જરૂરી છે.

નાનાથી લઈને ગંભીર રોગો માટે તુલસીના ગુણો નિયમિત સેવનથી તેના મૂળમાંથી નાબૂદ કરી શકાય છે.

હાલમાં ચોમાસાના કારણે વરસાદી માહોલ ચાલી રહ્યો છે. આવા તુલસીના છોડને વધારે પાણીની જરૂર પડતી નથી.

જો તમારા આંગણામાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તેને તમે સરળતાથી હર્યોભર્યો બનાવી શકો છો.

તમે તેને માત્ર 2 રૂપિયાના ખર્ચે ફરી જીવંત કરી શકો છો.

જેમાં તમે તમારા તુલસીના કુંડામાં બાળકોના સ્લેટમાં લખવાની પેનનો ઉપયોગ કરી શકો છો.

આ માટે તમારે બે સ્લેટમાં લખવાની પેન લેવી પડશે.

તેનો પાઉડર બનાવીને માટીમાં મિક્સ કરી પાણી ઉમેરો.

આ છોડને કેલ્શિયમ પ્રદાન કરશે. જેથી તમારો તુલસીનો છોડ ફરીથી જીવંત થશે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.