1 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની માટીની મૂર્તિઓ થાક છે તૈયાર 

13 સપ્ટેમ્બર 2023

વિક્રમ સંવત ભાદરવા સુદ 4 ના રોજ ગણેશ ચતુર્થી અથવા તો ગણેશ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે.

આ તહેવારની શરૂઆત સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં 1989માં થઈ હતી.  

પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવતી ગણેશજીની મૂર્તિ પર્યાવરણને કરે છે નુકશાન

 હવે લોકોમાં જાગૃતિ આવતા  પરંપરાગત માટી માંથી બનેલી ગણેશની મૂર્તિનું સ્થાપન લોકો કરતા થયા છે.

ગણેશજીની મૂર્તિ બનાવવા માટે જે માટી વપરાય છે તે માટે મોટેભાગે સમગ્ર ગુજરાતમાં ભાવનગરમાંથી મંગાવવામાં આવે છે.

આ માટે આ માટીને સળંગ ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે.

માટીની મૂર્તિ તૈયાર થઈ ગયા બાદ કારીગરો દ્વારા તેને કલર કરવામાં આવે છે.

આ મૂર્તિ ઘણીવાર હાથથી અથવા તો મોલ્ડ દ્વારા પણ તૈયાર કરવામાં આવે છે. 

અમદાવાદમાં ગણેશજીની મૂર્તિઓની કિંમત તેમાં વપરાતી માટી અને તેના આકાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં આશરે 1 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની માટીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે.

ભારતભરમાં ભાગ્યે જોવા મળે છે ડાબી સુંઢવાળા ગણપતિ દાદાની પ્રતિમા