Travel Tips : ગુજરાતના આ સ્થળો પર ફરવા જવાનો પ્લાન બનાવો
08 ફેબ્રુઆરી, 2025
ફરવા જે લોકો શોખીન લોકો ઉનાળાની ઋતુમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો . તો આજે અમે તમને જણાવીશું કે, તમે શિયાળામાં ગુજરાતના આ સ્થળો પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
અમદાવાદમાં તેમજ તેની આજુબાજુ ફરવા માટે અનેક સ્થળો આવેલા છે.તમે સાબરમતી આશ્રમથી લઈ કાંકરિયા તળાવ, અટલબ્રિજસ સહિત હેરિટેજ સીટીમાં અનેક સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો
ગુજરાતના કચ્છ જિલ્લામાં દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે, આવા ઉત્સવોનું આયોજન પ્રવાસનપ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી કરવામાં આવે છે.આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર સવારી, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો પણ જોવાની તક મળે છે.
ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, કે જ્યાં તમે એશિયાઇ સિંહ જોઈ શકશો. જે ગીર નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીર નેશનલ પાર્ક ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે. અહિ તમે જંગલ સફારીની પણ મજા માણી શકો છો.
સોમનાથ મંદિર 12 જ્યોર્તિલિંગમાંથી એક છે.સોમનાથ મંદિર સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું ભવ્ય મંદિર છે. તમે આજબાજુના સ્થળો પર પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો.
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર થયો છે. વર્ષ 2013માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ધોષિત કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે.