06 સપ્ટેમ્બર 2023

ભગવાન શ્રીકૃષ્ણ સાથે આ કારણોને લીધે 8 પટરાણીઓના થયા હતા વિવાહ

Pic credit -social media

પુરાણો અનુસાર ભગવાન કૃષ્ણની સૌથી મોટી અને પ્રથમ પત્ની રુકમણી છે. રૂકમણી શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેના ભાઈના અણગમાને કારણે તેણે ભાગીને લગ્ન કરવા પડ્યા હતા.

રુકમણી

જ્યારે કૃષ્ણને ખબર પડી કે રત્ન તેમના આગલા જન્મના ભક્ત જામવંત પાસે છે. જામવંતજી કૃષ્ણને ઓળખી ન શક્યા, તેથી તેમણે કાન્હાને રત્ન આપ્યું અને તેમની પુત્રી જામવંતી સાથે તેમના લગ્ન પણ કરાવ્યા.

જામવંતી

કૃષ્ણ પર જે રત્ન ચોરી કરવાનો આરોપ હતો તે સત્યભામાનો હતો. કૃષ્ણે પોતાનું રત્ન તેમને પરત કર્યું કે, તરત જ સત્રાજિત શરમાઈ ગયો. પછી સત્યભામાના લગ્ન કૃષ્ણ સાથે થયા.

સત્યભામા

પૌરાણિક માન્યતા છે કે કાલિંદી સૂર્ય ભગવાનની પુત્રી હતી, જેણે શ્રી કૃષ્ણને તેના પતિ તરીકે મેળવવા માટે સખત તપસ્યા કરી હતી. ભગવાને તેની ઈચ્છા પૂરી કરવા માટે તેની સાથે લગ્ન કર્યા હતા.

કાલિન્દી

રાજાએ પોતાની પુત્રીના સ્વયંવરમાં એવી શરત મૂકી જે ફક્ત શ્રીકૃષ્ણ જ પૂરી કરી શકે. શ્રી કૃષ્ણએ રાજાની શરત પૂરી કરીને અખાડામાં સાત પાગલ બળદને કાબૂમાં રાખ્યા અને નગ્નજિતિને પોતાની પત્ની બનાવી.

નગ્નજિતિ

મિત્રવૃંદા ઉજ્જૈનના રાજા વિંદ અને અનુવિંદની બહેન હતી. જેમને ભગવાન કૃષ્ણ બળપૂર્વક સ્વયંવરમાંથી ઉઠાવીને લઈ ગયા હતા.

મિત્રવૃંદા

રોહિણી શ્રી કૃષ્ણની સાતમી પત્ની હતી. એવું કહેવાય છે કે સ્વયંવર દરમિયાન રોહિણીએ પોતે શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા.

રોહિણી

લક્ષ્મણા શ્રી કૃષ્ણની આઠમા પત્ની હતા. તે કૈકેય દેશની રાજકુમારી હતા. તેના સ્વયંવર દરમિયાન તેણે ભગવાન શ્રી કૃષ્ણને તેમના ગળામાં માળા પહેરાવીને તેમના પતિ બનાવ્યા.

લક્ષ્મણા

Vastu Tips : ઘરમાં 7 સફેદ ઘોડાની તસવીર રાખવી જોઈએ કે નહીં? વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલ મહત્વ વાંચો