ઘરમાં ગંદકી ફેલાવતા ગરોળી, કીડી અને વંદા થશે છૂમંતર
14 July, 2025
ગરોળીથી છુટકારો મેળવવા માટે શું કરવું તેની વાત કરવામાં આવે તો, ઈંડાની છાલનો ઉપયોગ, રસોડામાં અથવા જ્યાં ગરોળી વધુ દેખાય છે ત્યાં ઈંડાની છાલ રાખો. ગરોળી તેની ગંધને કારણે ભાગી જાય છે.
કોફી પાવડર અને તમાકુ ભેળવીને નાની ગોળી બનાવો અને તેને ત્યાં રાખો જ્યાં ગરોળી વધુ આવે છે. તે તેમના માટે ઝેરનું કામ કરે છે.
કીડીઓથી છુટકારો મેળવવા માટે લીંબુના રસમાં થોડું મીઠું ભેળવીને દરવાજા અને બારીઓની આસપાસ લગાવો. કીડીઓ તે રસ્તેથી આવતી નથી.
જ્યાં કીડીઓ વધુ આવે છે, ત્યાં તજ પાવડર છાંટો. તેમાં રહેલી ગંધ કીડીઓને દૂર રાખે છે.
વંદાથી છુટકારો મેળવવા માટે બોરિક પાવડરમાં થોડી ખાંડ ભેળવીને તે જગ્યાએ રાખો જ્યાં કોકરોચ આવે છે. ખાંડ તેમને આકર્ષે છે અને બોરિક પાવડર તેમને મારી નાખે છે.
લીંબુ અથવા નારંગીની છાલને પાણીમાં ઉકાળો અને તે પાણીથી ઘર સાફ કરો. કોકરોચ તેની ગંધથી ભાગી જાય છે.