તહેવાર દરમિયાન દરેકના ઘરમાં વિશેષ ભોજન બનતુ હોય છે

13 નવેમ્બર 2023

Image - Tv9 hindi

તહેવારમાં વધુ તેલયુક્ત અને મસાલેદાર વસ્તુઓ બનતી હોય છે અને આપણે સૌ તેની મજા લઈએ છે

 હવે મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં બળતરા થવા લાગે છે.

ખોરાક આસાનીથી ન પચી શકતા પેટમાં બળતરા, એસિડિટી અને બીજી ઘણી સમસ્યાઓ થાય છે.

આમ કબજિયાત, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે અને પેટમાં બળતરા જેવી સમસ્યા તહેવારમાં તમને પરેશાન કરી શકે છે

પેટમાં બળતરા એટલે કે એસિડીટી મટાડવા આ ઉપાય બેસ્ટ છે

પેટમાં બળતરાની સ્થિતિમાં વરિયાળીનું સેવન કરો. વરિયાળી પ્રકૃતિમાં ખૂબ જ ઠંડી હોય છે તે પેટની ગરમી શાંત કરે છે અને પેટને ઠંડક આપે છે

પેટમાં થતી બળતરાને શાંત કરવા માટે એલચીનું સેવન કરો. એલચી સ્વભાવે ખૂબ જ ઠંડક આપનારી હોય છે, તેને ખાવાથી મોં અને પેટ બંનેને ઠંડક મળે છે.

તુલસીના પાન ચાવવાથી મસાલેદાર ખોરાક પચવામાં મદદ મળે છે. તુલસીનો રસ પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.

ફુદીનામાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, બળતરા વિરોધી અને ઔષધીય ગુણ હોય છે, જે પેટની ગરમી, બળતરા અને એસિડને શાંત કરે છે. 

તહેવાર પર પરિવારથી દૂર છો તો કેવી રીતે ઉજવશો દિવાળી?