VADODARA : સોની પરિવારનો સામુહિક આપઘાત, 3ના મોત, 3 સારવાર હેઠળ
VADODARA : શહેરના સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં સોની પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પરિવારના 6 સભ્યોએ ઠંડા પીણામાં ઝેર ભેળવીને પી લીધું છે.
VADODARA : શહેરના સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં સોની પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પરિવારના 6 સભ્યોએ ઠંડા પીણામાં ઝેર ભેળવીને પી લીધું છે. આ ઘટનામાં 3 સદસ્યોના મોત થયા છે. જયારે 3 સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ, પ્રાપ્ત વિગતો અનુસાર પરિવાર આર્થિક સંકળામણમાં હતો. મૃતકમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હાલ આ ઘટનાને મામલે પોલીસે છાનબીન આરંભી છે.