INDIA : 01 ફેબ્રુઆરીથી અનલોકમાં વધુ છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા
INDIA : Corona ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર 1 ફેબ્રુઆરીના રોજથી અનલોકના નિયમોમાં વધારે છૂટછાટ અપાશે.
INDIA : દિન પ્રતિદિન Corona ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર 1 ફેબ્રુઆરીના રોજથી અનલોકના નિયમોમાં વધારે છૂટછાટ આપવામાં આવી શકે છે. જેમાં કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીથી સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં વધુ લોકોને સમાવવા માટેની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત તમામ સ્વિમિંગ પુલ અને પ્રદર્શન સેન્ટર ખોલવા માટેની પણ મંજૂરી આપવામાં એવી તેવી શક્યતા છે. જેની માટે યુવા અને સાંસ્કૃતિક વિભાગ નિયમો જાહેર કરશે. જયારે સિનેમા હૉલમાં દર્શકોની સંખ્યામાં વધારો કરવા માટે પણ જાહેરાત કરવામાં આવી શકે છે.
Latest Videos
Latest News