Surat Corona Latest Update: કોરોનાનાં નવા સ્ટ્રેનનાં સપાટા સુરતીઓ ન ફસાય તે માટે SMC એક્શનમાં, બહુપાંખીયો વ્યૂહ અપનાવાયો

Surat Corona Latest Update:  સુરત (Surat)માં કોરોના (Corona) સંક્રમણને લઈ કોર્પોરેશન હવે એક્શનમાં આવી ગયું છે. Coronaને અટકાવવા માટે તંત્ર દ્વારા હવે બહુપાંખીયો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આજે સુરતના કાપડ માર્કેટમાં મોટાપાયે ટેસ્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી કે જેમાં કાપડ માર્કેટના કામદારો, શાકભાજીના ફેરિયાઓનું મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

| Updated on: Mar 22, 2021 | 1:10 PM

Surat Corona Latest Update:  સુરત (Surat)માં કોરોના (Corona) સંક્રમણને લઈ કોર્પોરેશન હવે એક્શનમાં આવી ગયું છે. Coronaને અટકાવવા માટે તંત્ર દ્વારા હવે બહુપાંખીયો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આજે સુરતના કાપડ માર્કેટમાં મોટાપાયે ટેસ્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી કે જેમાં કાપડ માર્કેટના કામદારો, શાકભાજીના ફેરિયાઓનું મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

તો સાથે જ સુરતમાં બહારથી આવતા લોકોનું રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે જેથી સંક્રમણ પર કાબુ મેળવી શકાય. સાથે જ કાપડ બજાર વિસ્તારોમાં કામદારોને મફત માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે તે ચાની લારીઓ, પાનના ગલ્લાઓ પર મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાપડ બજારમાં 3 દિવસમાં તમામ લોકોનું ટેસ્ટિંગ કરાશે જેથી કરી જે પોઝિટિવ આવશે તેને આઇસોલેટ કરાશે અને જે નેગેટિવ આવશે તેને હેલ્થ કાર્ડ અપાશે.

મોટાભાગે કોરોના લક્ષણો કે પછી કોરોના ટેસ્ટને લઈને ઘણાં લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે આવા બેદરકારી દાખવતા લોકોને સમજાવવાનો મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. જણાવવું રહ્યું કે રાજ્યમાં કોરોનાના સૌથી વધારે કેસ સુરતમાંથી આવી રહ્યા છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોનાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની જીવાદોરી સમાન હીરા ઉદ્યોગે પણ કોરોના સંક્રમણ આગળ વધતુ અટકાવવા માટે યોગદાન આપ્યું છે. સુરતનો હીરા ઉદ્યોગ ગઇકાલે બંધ રહ્યા બાદ આજે પણ બંધ રાખવામાં આવ્યો છે.

સુરતમાં આજે કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાની, IAS થેન્નારસન અને મેયર હેમાલી બોધાવાલા સુરતનાં વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને કોરોનાને અટકાવવા માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરિક્ષણ તો કર્યુ જ હતું સાથે વિવિધ યુનિટોનાં માલિકોને પણ કારીગરોની સંખ્યા તેમજ તેમનાં આરોગ્યને લઈને શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું. સુરતમાં હાલમાં જે રીતનો કોરોનાનો સ્ટ્રેન ચાલી રહ્યો છે તેને લઈને કોર્પોરેશન કમિશનર આગળ પણ જનતાને સાવચેત રેહવા માટે સલાહ આપી ચુક્યા છે કેમકે કોઈ પણ પ્રકારનાં લક્ષણ વગર કોરોના એ રીતે ફેલાઈ રહયો છે કે જેનાંથી આખુ પરિવાર સંક્રમણનો ભોગ બની જાય છે. આ નવા સ્ટ્રેનનાં સપાટામાં સુરતીઓ વધારે ન ફસાય તે માટે જ કોર્પોરેશન એલર્ટ મોડ પર આવી ગયું છે.

 

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">