વિજયાદશમી પર TV9 Festival of Indiaમાં સિંદૂર ખેલા, લોકો થયા મસ્તીમાં મગ્ન, જુઓ Video

| Edited By: | Updated on: Oct 24, 2023 | 5:05 PM

TV9 Festival of India: વિજયાદશમીનો તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આજે વિજયાદશમીના દિવસે દિલ્હીમાં TV9 નેટવર્ક દ્વારા આયોજીત TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં સિંદૂર ખેલાનું આયોજન કરવામાં આવ્યું હતું. TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો આજે છેલ્લો દિવસ છે. ગત 20 ઓક્ટોબરથી યોજાઈ રહેલા TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં હજારો લોકોએ મુલાકાત લીધી હતી.

દિલ્લી સ્થિત મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં TV9 નેટવર્ક દ્વારા આયોજીત TV9 Festival of Indiaમાં આજે વિજયાદશમીના દિવસે સિંદૂર ખેલાનું આયોજન કરાયું હતું. TV9 ફેસ્ટિવલમાં હજારો લોકોએ આવીને આ ફેસ્ટીવલને સફળ બનાવ્યો હતો. આજે અસત્ય પર સત્યના વિજય રૂપે ઉજવવામાં આવતા વિજયાદશમીના તહેવારે સંપૂર્ણ પરંપરાગત રીતે સિંદૂર ખેલાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનું આયોજન ગત 20 ઓક્ટોબરથી આજે 24 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. TV9 Festival of Indiaનો આજે છેલ્લો દિવસ છે. આ તહેવારમાં પશ્ચિમ બંગાળના લોકો દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં દુર્ગા પૂજાનો આનંદ લઈ લીધો હતો છે. જુઓ વીડિયો.