સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમની સપાટી 121.40 મીટર સુધી પહોંચી છે. નર્મદા ડેમ હાલ 55 ટકા ભરાયો છે. પાણીની આવક થતાં RBPHના 3 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે.