શિવ પૂરાણમાં લખ્યું છે કે ભગવાનનો જન્મ સ્વયંભૂ છે..એટલે એ પોતે જ પ્રગટ થયા છે..શિવ મહિન્મ સ્તોત્રમાં શબ્દ છે..અજન્મા...એટલે શિવ એ સ્વયંભૂ છે.. અજન્મા અને અનાદિ છે..ભગવાન શિવ.. પુરાણોમાં શિવના જન્મની સૌથી પ્રચલિત કથાની વાત કરીએ.. એક વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ કોણ એનો વિવાદ થયો...ત્યારે મહાદેવના સ્વરુપમાં એક અનંત જ્યોતિસ્તંભ પ્રગટ થયો.જેમાંથી અવાજ આવ્યો કે જે આ સ્તંભનો છેડો શોધે એ શ્રેષ્ઠ... આ સ્તંભનો છેડો શોધવા માટે બ્રહ્માજી પક્ષીનું રુપ લઇ ઉપર ગયા, વિષ્ણુ વરાહનું સ્વરુપ લઇ નીચે ગયા...પણ કોઈને તેનો આરંભ કે અંત મળ્યો નહીં.ત્યારે જ્યોતિસ્તંભમાંથી પ્રગટ થયા મહાદેવ — જેઓ સમય, જન્મ અને મૃત્યુથી પર છે. બંને દેવતાઓએ માન્યું કે આ જ સ્તંભ અજન્મા એવા શિવનું પ્રતિક છે. અને તે જ મહાન છે...શ્રેષ્ઠ છે... શિવનો રહસ્ય એ છે કે તેઓ માત્ર દેવ નથી, પણ પરમ તત્વ છે —