કુદરતના કહેર બાદ હવે સતત હવામાનમાં પલટાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. વાતાવરણમાં સતત ફેર પલટાથી ધોરાજીમાં ડુંગળીના પાકમાં રોગ આવી જતા ખેડૂતોને ફરી આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. સારા ભાવની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાતાવરણ કર્યું હતુ. પરંતુ આશા પર પ્રથમ માવઠાએ જ પાણી ફેરવી દીધું. કારણ કે ડુંગળીના પાકમાં ફાલ બેસી ગયો ત્યારે કમોસમી વરસાદથી નુકસાન થયું. રાજકોટ જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ.. સતત બદલાતા વાતાવરણના કારણે ધોરાજીમાં ડુંગળીના પાકમાં રોગ આવી ગયો. તેના કારણે ખેડૂતોને ફરી આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો. પહેલા માવઠાએ ડુંગળીનો પાક બગાડ્યા બાદ. હવે ડુંગળીના પાકમાં રોગ આવી ગયો. ખેડૂતોએ જણાવ્યું કે, વાતાવરણમાં ફેરફારથી ડુંગળીના પાકમાં થીપ્સ અને ચાર્મી નામનો રોગ આવી જતા પાક પીળો પડવા લાગ્યો છે. અને પાક સુકાવા લાગ્યો છે.. જેને કારણે ઉત્પાદન પર મોટી અસર વર્તાશે.. બીજી તરફ બજારમાં ડુંગળીના ભાવ 100થી 150 રૂપિયા પ્રતિ મણ હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી.