કોરોનામાં કારગત રેમડિસીવીર ઈન્જેકશનની ગુજરાતમાં તીવ્ર અછત

ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય તેવા જરૂરીયાતવાળા દર્દીઓને પણ, સરકારી હોસ્પિટલોમાંથી ઈન્જેકશન remedisivir injection આપવામાં આવતા હતા. હવેથી આ ઈન્જેકશન ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને અપાતા બંધ કરાયા છે.

| Updated on: Apr 10, 2021 | 11:00 AM

ગુજરાતમાં કોરોનાના કેસ રોજબરોજ અતીમાત્રામાં વધી રહ્યા છે. રાજ્યના નાના મોટા શહેરોમાં પહોચી ચૂકેલા કોરોનાને કારણે સરકારે કરેલ વ્યવસ્થા ઓછી પડી રહી છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવા સમયે કોરોના મહામારીમાં કારગત ગણાતા રેમડીસીવીર ઈન્જેકશન remedisivir injection અપ્રાપ્ય બન્યા છે.

હોસ્પિટલ કે તબીબોની દેખરેખ હેઠળ ઘરે કોરોનાની સારવાર લઈ રહેલા કોરોનાના થોડાઘણા ગંભીર દર્દીઓને રેમડિસીવીર ઈન્જેક્શનનો કોર્ષ કરવાનો હોય છે. આવા દર્દીઓની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે. ગુજરાત સરકારે સરકારી હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને રેમડિસીવીર ઈન્જેકશન આપવા માટે વ્યવસ્થા કરી છે. પણ અત્યાર સુધીમાં જે બહારના દર્દીઓને પણ રેમડિસીવીર ઈન્જેકશન આપવામાં આવતા હતા તે બંધ કરી દેવાતા, જરૂરીયાત વાળા દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.

સુરતમાં તો જિલ્લા કલેકટરે જાહેર કરવુ પડ્યુ છે કે, હવે ઈન્જેકશનનો જે કોઈ જથ્થો છે તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે અનામત છે. અત્યાર સુધી સુરતમાં સરકારી હોસ્પિટલોમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય તેવા જરૂરીયાતવાળા દર્દીઓને પણ ઈન્જેકશન આપવામાં આવતા હતા. હવેથી આ ઈન્જેકશન આપવામાં નહી આવે.

આવી જ સ્થિતિ અમદાવાદ, વડોદરા, રાજકોટ સહીત નાના મોટા શહેરોની છે. રેમડિસીવીર ઈન્જેકશનનું ઉત્પાદન કરતી ઝાયડસ કંપની પણ અત્યાર સુધી પોતાની હોસ્પિટલેથી જરૂરીયાતવાળા દર્દીઓને અન્ય કંપનીઓ કરતા સસ્તા રેમડિસીવીર ઈન્જેકશન વહેલા તે પહેલાના ધોરણે પૂરા પાડતી હતી. પરંતુ આજથી આ હોસ્પિટલે પણ બહારના કોઈને રેમડિસીવીર ઈન્જેકશન આપવાનો ઈન્કાર કર્યો છે.

 

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">