Sabarkantha: પ્રાંતિજમાં કોરોનાથી સુરક્ષા માટેનાં યજ્ઞમાં 100 કરતા વધારે લોકો ઉમટ્યા, 58ની ધરપકડ, 100 સામે ફરિયાદ દાખલ

Sabarkantha: કોરોનાનાં કેસ પર માંડ કાબુ મેળવવામાં આવી રહ્યો છે પરંતુ અમુક લોકો હજુ પણ એવા છે કે જેમના માટે આ આંકડા કોઈ અગત્યતા નથી ધરાવતા. વાત આવા જ એક વિસ્તારની સામે આવી છે કે જેમાં પોલીસે ફરિયાદ દાખલ કરવી પડી છે. 

| Updated on: May 25, 2021 | 8:30 AM

Sabarkantha: કોરોના (Corona) નાં કેસ પર માંડ કાબુ મેળવવામાં આવી રહ્યો છે પરંતુ અમુક લોકો હજુ પણ એવા છે કે જેમના માટે આ આંકડા કોઈ અગત્યતા નથી ધરાવતા. વાત આવા જ એક વિસ્તારની સામે આવી છે કે જેમાં પોલીસે ફરિયાદ દાખલ કરવી પડી છે.

સાબરકાંઠા પ્રાંતિજના લાલપુરમાં સ્થાનિકોએ કોરોનાનાં નિયમો(Corona Guidelines)ને નેવે મુકીને હવન કર્યો હતો. આ હવનમાં 100 કરતા વધારે લોકો ભેગા થયા હતા. આ લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ઢોલ ત્રાંસા વગાડ્યા હતા. પોલીસ પાસે આ અંગેની માહિતિ પહોચતા તે સ્થળ પર પહોચ્યા હતા અને 100 લોકો સામે ફરિયાદ નોંધી અને 58 લોકોની ધરપકડ કરી લીધી હતી.

કોરોના સામે રક્ષણ મેળવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવુ જરૂરી છે ત્યારે આ મુખ્ય નિયમોનો જ છેદ ઉડાડીને મોટી સંખ્યામાં પ્રાંતિજનાં લાલપુર ખાતે ભેગા થઈ ગયા હતા. હવન કોરોનાથી બચવા માટે હતો પરંતું ભેગી થયેલી જનમેદની કોરોનાવે સીધુ આમંત્રણ આપનારી હતી.

ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે ત્યારે હવે લગ્નમાં વરઘોડા કાઢીને નિયમોનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ પણ વધવા લાગી છે. પંચમહાલના ગોધરામાં  બે ગામમાં વરઘોડા નીકળ્યા હતા જેમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું.

ગોધરાના નદીસર ગામે ગામના સરપંચ સહિત વરઘોડિયા નિયમો નેવે મૂકીને ડીજેના તાલે ઝૂમ્યા. જ્યારે જૂનીધરી ગામે લગ્નના આયોજકો સહિત 7 લોકોની ધરપકડ કરાઈ છે.  બંને ઘટનાઓનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.

તો બીજીતરફ રાજકોટના જસદણમાં આલ્ફા હોસ્ટેલના કોચિંગ સંચાલકોએ 500થી વધુ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખી કોચિંગ ક્લાસ ચલાવતા હોવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ બધા કારણોને લઈને જ હવે કર્ફ્યુનાં પાલનમાં પણ પોલીસ કડક બની રહી છે. જે લોકો રાત્રે ખોટા કારણો આપીને બહાર ફરવા નીકળી પડતા હોય છે તેમણે સાવધાન થવાની જરૂર છે. હવે પોલીસે પકડ્યા તો માત્ર કારણ સાંભળશે નહીં પરંતુ તેની તપાસ પણ કરશે.

છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલી ફરિયાદોમાં સામે આવ્યું છે કે, મોટાભાગના યુવાનો મિત્ર કે પરિજન બિમાર હોવાનું કહીને બહાર ફરતા હોય છે. પોલીસ પકડે ત્યારે હોસ્પિટલનું ખોટુ બહાનું કાઢીને બચવાનો પ્રયાસ કરે છે. પરંતુ હવે સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા આદેશ કરાયો છે કે, રાત્રે યુવાનો નિયમોનો ભંગ કરતા પકડાય તો તેમના કારણની ચકાસણી પણ કરવામાં આવે, જો કારણ ખોટું હશે તો કાર્યવાહી કરાશે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">