Rathyatra 2021: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ મોટા સમાચાર, અમિત શાહે રથયાત્રા નિકળશે તેવા સંકેત આપ્યા

સાંસદ કિરીટ સોલંકી અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા. અમિત શાહે ચાલુ વર્ષે જગન્નાથજીની રથયાત્રા નિકળશે તેવા સંકેત આપ્યા, તો સાંસદ કિરીટ સોલંકીએ કહ્યું કે લાખો ભક્તોની શ્રદ્ધા રથયાત્રા સાથે જોડાયેલી છે.

| Updated on: Jun 17, 2021 | 4:24 PM

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની (Jagannathji) રથયાત્રાને લઈ મોટા સમાચાર મળી રહ્યાં છે. સાંસદ કિરીટ સોલંકી અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા. અમિત શાહે ચાલુ વર્ષે જગન્નાથજીની રથયાત્રા નિકળશે તેવા સંકેત આપ્યા, તો સાંસદ કિરીટ સોલંકીએ કહ્યું કે લાખો ભક્તોની શ્રદ્ધા રથયાત્રા સાથે જોડાયેલી છે.

જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં કોરોના પ્રોટોકોલ મુજબ રથયાત્રાને લઇ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાએ પણ રથયાત્રાને પરવાનગી આપવાની અપીલ કરી છે.

કોરોનાને કારણે ગતવર્ષે જગન્નાથ યાત્રા જાહેરમાં નીકળી નહોંતી, ત્યારે હાલ જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જળયાત્રા અને રથયાત્રાની મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંપરાગત 18 ગજરાજ જળયાત્રામાં હાજર રહેશે. જેમાંથી મંદિરના મુખ્ય 1 ગજરાજ ભુદર નદીના આરે જળયાત્રામાં હાજર રહશે.

17 ગજરાજ મંદિરના પ્રાંગણમાં રહશે. ગજરાજાને અન્ય રાજ્યમાંતી મંદિર લાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ જગન્નાથજીના વાઘા બનાવવાનો પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં અષાઢી સુદ બીજના દિવસે નીકળતી રથયાત્રા આ વખતે નીકળશે કે નહીં તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી, પરંતુ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવતા અંગકસરત કરતા પહેલવાનોએ પણ પોતાની તૈયારી આરંભી દીધી છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">