Rajkot : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા, ડબ્બે રૂપિયા 40નો વધારો

ગુજરાતમાં દર વર્ષે 12 લાખ ટન ખાદ્યતેલની માંગ રહે છે. દેશમાં સિંગતેલની સૌથી વધુ માંગ રહે છે. ત્યારે સિંગતેલમા ભાવમાં વધારો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 5:16 PM

Rajkot : છેલ્લા કેટલાય સમયથી સિંગતેલ સહિતનાં તેલનાં ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જ્યારે આજે સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો નોંધાયો છે. એકધારા વધતાં જતાં પેટ્રોલ ડીઝલના ભાવ અને વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવને પણ અસર કરે તે સ્વભાવિક છે. ત્યારે રાજકોટમાં ડબ્બે રૂપિયા 40નો ભાવ વધારો નોંધાયો છે.

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, ડબ્બે રૂપિયા 40 વધ્યા છે. ત્યારે જો કપાસિયા તેલના ડબ્બાના નવા ભાવની વાત કરવામાં આવે તો 40 રૂપિયાના વધારા સાથે હાલનો ભાવ 2300 થયો છે. જ્યારે સિંગતેલના ડબ્બાના નવા ભાવની વાત કરવામાં આવે તો, 40 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 2440 રૂપિયા થયો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે 12 લાખ ટન ખાદ્યતેલની માંગ રહે છે. દેશમાં સિંગતેલની સૌથી વધુ માંગ રહે છે. રાજ્યમાં અંદાજે 4.5 થી 54 ટન લાખ સિંગતેલનું ઉત્પાદન થાય છે. વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારના કારણે ભાવમાં ઉતાર-ચડાવ જોવા મળે છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે રાજ્યમાં મગફળીનું સરેરાશ 25થી 30 લાખ ટનનું ઉત્પાદન થાય છે. છતાં ગરીબો તેલથી વંચિત રહે છે. વચેટિયાની નફાખોરીમાં ખેડૂતો અને ગ્રાહક બંને લૂંટાઇ રહ્યાં છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">