Rajkot : આખરે, સવા વર્ષ બાદ ‘અંબા’ને મળશે માતૃપ્રેમ, ‘અંબા’ બનશે ઇટલીની નાગરિક

Rajkot : સમાજના ડરથી કાળજાના કટકાને ત્યજી દેવા સિવાય કંઈ રસ્તો હોતો નથી. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. આવું જ કંઈક રાજકોટની 'અંબા' (amba) સાથે થયું હતું.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 10, 2021 | 9:31 AM

Rajkot :  મીઠા મધુરે મીઠા મેહુલા રે લોલ.. એક માતા પોતાના સંતાન માટે જીવ આપવા માટે પણ તૈયાર હોય છે.આપણે ઘણીવાર જોયું હોય છે કે, માતા કાળજું કઠણ કરીને નવજાત બાળકને તરછોડતી હોય છે. કોઈપણ કારણોસર ભલે માતા બાળકનો ત્યાગ કર્યો હોય પરંતુ તેને દુઃખ તો થયું હોય છે.

નવજાત બાળકને ત્યજી દેવાના બનાવમાં સમાજમાં વાતો કરવામાં આવે છે કે, આખરે એવું તે શું કારણ હશે બાળકે આ દુનિયા જોતા પહેલા જ તેને તરછોડવામાં આવ્યું હોય. કયારેક પરિસ્થિતિ એવી પણ હોય છે કે, સમાજના ડરથી કાળજાના કટકાને ત્યજી દેવા સિવાય કંઈ રસ્તો હોતો નથી. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. આવું જ કંઈક રાજકોટની ‘અંબા’ (amba) સાથે થયું હતું.

આશરે દોઢ વર્ષ પહેલા રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામ વચ્ચે તરછોડાયેલ અને લોહી લુહાણ હાલતમાં ‘અંબા’ મળી હતી. અંબાએ 2થી અઢી મહિના સુધી હોસ્પિટલમાં મોટ સામે લડીને જંગ જીતી લીધો હતો. જે તે સમયે કલેકટર,કમિશનરથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. દોઢ વર્ષ બાદ આખરે હવે ‘અંબા’ને આશરો મળ્યો છે. છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમમાં (Shri Kathiawar Nirashrit Balashram) રહેતી અંબા હવે સંપૂર્ણ સ્વસ્થ છે. હવે અંબાને માતા-પિતાનો પ્રેમ મળશે.

અંબાને ઇટલીના દંપતીએ દત્તક લીધી છે. ઈટાલીના ગુંથર દંપતીએ અંબાને દતક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી લીધી છે. હવે ત્રણ મહિના બાદ અંબા ઈટલીની નાગરિક બનશે. અંબાને સ્પેશિયલ કેટેગરીમાં મુકવામાં આવી હતી. ઇટલીની એક હોસ્પિટલમાં વર્ષેાથી નર્સ તરીકે ફરજ બજાવતા પ્લેન્ક કેટરિન અને ગુંથર નામના દંપતીની ‘અંબા’ દીકરી બનશે.

નોંધનીય છે કે, આ બાળકીનું નામ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાખ્યું છે. ‘અંબા’ નામ આપનાર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અવાર નવાર હોસ્પિલની મુલાકાત લેતા હતા.

કાઠિયાવાડ બાલાશ્રમમાં 150થી વધારે બાળકો છે. જેમાં 70 બાળકો હાલ સંસ્થામાં છે.  કાઠિયાવાડ બાલાશ્રમમાંથી અત્યાર સુધીમાં  350 જેટલા બાળકો વિદેશ પહોંચ્યા છે.

 

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">