Dakor માં 249મી રથયાત્રાને લઇને તૈયારીઓ, રવિવારે નીકળશે રાજાધિરાજની રથયાત્રા

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અષાઢી બીજના આગલા દિવસે યોજાનાર 249મી રથયાત્રાની મંદિર પ્રશાસન દ્વારા  તૈયારીઓ  આખરી તબક્કામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 11:15 PM

ખેડાના પ્રસિદ્ધ ડાકોર(Dakor)  રણછોડરાયજી મંદિરમાં  249મી રથયાત્રા(Rathyatra) ને લઇને કોરોના ગાઇડ લાઇન સાથે રથયાત્રા યોજવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રવિવારના રોજ ડાકોરમાં સરકારની ગાઈડલાઇન મુજબ રથયાત્રા યોજાશે. રાજાધિરાજની રથયાત્રાને લઇને મંદિર તરફથી તૈયારીઓ આખરી તબક્કામાં છે.

જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નિકાળવામાં આવશે. ડાકોર મંદિરેથી સવારે 8.30 વાગે રથયાત્રા શરૂ થશે અને બપોરે બે વાગે રથયાત્રા મંદિરે પરત ફરશે. જેમાં રથયાત્રાના રુટ પર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ રથયાત્રાના દિવસે ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ રહેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">