જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના નવા દર્દી માટે જગ્યા નહી

વધુ બેડની વ્યવસ્થા કરવા પાંચ દિવસ લાગશે તેવા જિલ્લા કલેકટરના નિવેદનથી લોકોમાં ગભરાટ-ભયની લાગણી

| Updated on: Apr 15, 2021 | 8:31 AM

કોરોના મહામારીએ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જી દીધી છે. જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ (GG Hospital )માં કોરોનાના નવા એક પણ દર્દી માટે જગ્યા જ નથી. જીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ઉભા કરાયેલા કુલ 1450 બેડમાંથી તમામે તમામ 1450 બેડ ભરાઈ ગયા છે.

છેલ્લા એક સપ્તાહથી, જામનગરમાં મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી દર્દીઓને જામનગરમાં લવાતા, આવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હવે જામનગરમાં કોરોનાના જે કોઈ નવા દર્દીઓ સામે આવે છે તેમને તેમના પોતાના ઘરે જ હોમ ક્વોરોન્ટાઈન થવાની ફરજ પાડવામાં આવી રહી છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે. તો સમગ્ર જિલ્લામાં 308 નવા દર્દીઓ કોરોના સંક્રમિત નોંધાયા છે.

હોસ્પિટલમાં જગ્યા ના હોવાથી વધુ વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેકટરે પાંચ દિવસ માંગ્યા છે. કલેકટરે કહ્યુ કે બેડની સંખ્યા વધારવા માટે પાંચ દિવસનો સમય જોઈશે. જિલ્લા કલેકટરના આ નિવેદનથી જ જામનગરમાં સરકારી તંત્રે કોરોના મહામારી સામે લડવા માટેના હથિયાર હેઠા નાખી દીધા હોય તેવુ ફલિત થાય છે. એક તરફ ગુજરાત સરકાર આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ખાનગી અને સહકારી ક્ષેત્રનો સહકાર લઈ રહી છે. જ્યારે બીજી બાજુ જિલ્લા કલેકટરના આવા નિવેદનથી લોકોમાં ભય અને ગભરાટ પ્રસરી ગયો છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">