2030 માં બદલાશે ચંદ્રની જગ્યા, સમુદ્રનું જળસ્તર વધવાથી વિનાશક તોફાનોનું પ્રમાણ પણ વધશે

સમુદ્રનું જળસ્તર, ભરતી-ઓટ વગેરે ચંદ્રની કળા સાથે જોડાયેલુ છે. જો ચંદ્ર તેની જગ્યા પરથી જરા પણ હલે છે તો તેની અસર પૃથ્વી પર પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 3:08 PM

દુનિયાભરમાં ઋતુઓમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ચક્રવાતી તોફાનોની સંખ્યા પણ વધી ગઇ છે અને તેની ગંભીરતા પણ વધી રહી છે. ભારતમાં હાલમાં જ બે તોફાનોએ તાંડવ મચાવ્યો, પહેલો તાઉ તે અને ત્યારબાદ યાસ વાવાઝોડું. ફક્ત ભારત જ નહીં દુનિયાના મોટા ભાગના દેશોમાં પાછલા થોડા સમયથી તોફાનોની (Catastrophic Storms) સંખ્યા વધી ગઇ છે.

આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્રનું જળસ્તર, ભરતી-ઓટ વગેરે ચંદ્રની કળા સાથે જોડાયેલુ છે. જો ચંદ્ર તેની જગ્યા પરથી જરા પણ હલે છે તો તેની અસર પૃથ્વી પર પડે છે. નાસાના એક સ્ટડી પ્રમાણે, આગામી સમયમાં તોફાન અને ભરતીની ઘટના વધશે. ચંદ્ર સમુદ્રની લહેરો પર અસર નાખે છે. જો તે પોતાની જગ્યા બદલે છે તો તેનાથી પૃથ્વી પરના તટીય વિસ્તારોમાં પૂરની સ્થિતી સર્જાશે.

ચંદ્ર 18.6 વર્ષમાં પોતાની જગ્યામાં થોડો બદલાવ કરે છે. નાસાના જણાવ્યા પ્રમાણે, હવે ચંદ્રના 18.6 વર્ષની આ સાઇકલનો અડધો ભાગ શરૂ થવા જઇ રહ્યો છે જેને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળશે. ચંદ્રની આ સાઇકલ 2030 માં પૂર્ણ થશે અને ત્યાં સુધીમાં ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રનું જળસ્તર વધી ચૂક્યુ હશે, પરિણામે દુનિયાના કેટલાક દેશોમાં પૂરની સમસ્યા વધી જશે.

મુંબઇમાં લગભગ દર વર્ષે આપણે હાઇટાઇડના કારણે શહેરમાં પાણી ભરાય જવાની ઘટના જોઇએ છે, બસ તેનું પ્રમાણ હજુ વધી જશે. રિપોર્ટ પ્રમાણે તેની સૌથી વધુ અસર અમેરીકા પર પડશે. કારણ કે અમેરીકામાં તટીય પર્યટન સ્થળો વધુ છે. ચંદ્રની જગ્યા બદલાવવાથી પૂરની સંખ્યા વધી જશે. આવી ઘટનાઓ મહિનામાં 10 થી 12 વાર બનવાની સંભાવના છે

એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 1880 થી લઇને હમણા સુધી સમુદ્રનું જળસ્તર 8 થી 9 ઇંચ જેટલુ વધ્યુ છે અને તેમાં પણ એક તૃતિયાંશ જેટલી ઉંચાઇ ફક્ત છેલ્લા 25 વર્ષમાં નોંધાય છે. એક અનુમાન પ્રમાણે વર્ષ 2100 સુધીમાં સમુદ્રનું જળસ્તર 12 ઇંચથી લઇને 8.2 ફૂટ વધવાની શક્યતા છે, જે પૃથ્વી અને તેના પર રહેતા સજીવો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">