Kam Ni Vaat: વરસાદમાં બંધ થઈ ગઈ છે તમારી બાઈક કે કાર, તો તરત કરો આ કામ, નહીં કરવો પડે તકલીફનો સામનો

વરસાદમાં જો તમારી બાઈક કે કાર બંધ થઈ જાય તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. નહીં તો ભોગવવું પડી શકે છે મોટું નુકસાન.

Dipali Barot
| Edited By: | Updated on: Jul 25, 2022 | 7:33 PM

વરસાદની સિઝન (Rainy season)માં ક્યારેક તમારું વાહન ખાડામાં કે ખરાબ રસ્તાઓ પર ભરાયેલા પાણી વચ્ચે બંધ પડી જાય છે. આવી સ્થિતિમાં એક નાની ભૂલ પણ બાઈક (Bike) કે કાર (Car)ને મોટુ નુકસાન પહોંચાડી શકે છે અને જો તમારી સાથે પણ આવું થાય તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આજે જાણો એ મહત્વપૂર્ણ વાતો તમને એવી વાતો જણાવીશ જે તમને આવી પરિસ્થિતિમાં ખુબ જ મદદ કરશે.

સૌથી પહેલા વાત ટુવ્હીલર (Two wheeler)ની

બાઈકને તરત સ્ટાર્ટ ના કરો

તમારી બાઈક કે ટુવ્હીલર પાણીમાં ડુબી ગયું છે તો સૌથી પહેલા તો તેને તરત સ્ટાર્ટ ના કરો. વરસાદનું રસ્તા પર ભરાયેલું પાણી ગંદુ અને કાદવવાળું હોય છે. આવું પાણી બાઈકના ઈલેક્ટ્રીક સિસ્ટમ, એગ્ઝોસ્ટ, વ્હીલ બેયરિંગ, ઈનટેક અને બ્રેકની સાથે એન્જીનની અંદર પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે બાઈક સ્ટાર્ટ કરો છો તો બાઈકના ઈલેક્ટ્રીક સિસ્ટમ (Electric system)ને નુકસાન પહોંચી શકે છે.

બાઈકની બેટરીને કરો ડિસ્કનેક્ટ

જો તમારી બાઈક પાણીમાં ડૂબી છે તો સૌથી પહેલા તેની બેટરીને ડિસ્કનેક્ટ (Disconnect the battery) કરી દો. જેનાથી બાઈકના ઈલેક્ટ્રીક સિસ્ટમને નુકસાન નહીં પહોંચે. અત્યારના સમયમાં ઘણી એવી હાઈટેક બાઈક્સ એવી છે કે જ્યાં એન્જીન બંધ થયા બાદ પણ બેટરી મારફતે ઈલેક્ટ્રીક સપ્લાય ચાલુ રહે છે. આવી સ્થિતિમાં ઈલેક્ટ્રીક ગ્રાઉન્ડીંગને રોકવા માટે બેટરીને ડિસ્કનેક્ટ કરવી જરૂરી છે.

સ્પાર્ક પ્લગને નિકાળો

જો તમને લાગે છે કે તમારી બાઈકની અંદર પાણી જતું રહ્યું છે તો બેટરીની સાથે તમે બાઈકના સ્પાર્ક પ્લગ (spark plug)ને હટાવી દો. કારણ કે સ્પાર્ક પ્લગમાં પાણી અને કાદવ લાગવાથી તે ખરાબ થઈ જાય છે, જેને સાફ કરવું મુશ્કેલ થઈ જાય છે.

બાઈકની અંદરથી પાણી કરો સાફ

જો તમને લાગે છે કે તમારી બાઈકની અંદર પાણી જતું રહ્યું છે તો તેને નીકાળવાનો પ્રયત્ન કરો. જેના માટે બાઈકને બંને તરફ નમાવી પાણી કાઢવાનો પ્રયત્ન કરો. જો કે વધુ સીસીવાળી બાઈક્સ વજનમાં ભારે હોય છે આ પ્રક્રીયા થોડી મુશ્કેલ બની જાય છે. જેથી કંપની તરફથી મળેલા ટૂલનો ઉપયોગ કરી બાઈકના પેનલ કવરને જાતે ખોલી શકો છો, જોકે આ ત્યારે જ કરો, જ્યારે તમને તેની પૂરી જાણકારી હોય.

સર્વિસ સેન્ટરની મુલાકાત લો

જો તમને લાગે છે કે તમારી બાઈકની અંદર પાણી જતું રહ્યું છે તો સૌથી સારો રસ્તો એ છે કે તેને કોઈ સર્વિસ સેન્ટર કે મિકેનીક પાસે લઈ જાવ. જૂના વાહનોમાં હજૂ પણ કાર્બોરેટરનો ઉપયોગ થાય છે જેથી વાહનને બચાવી શકાય છે. પરંતુ ફ્યૂલ-ઈન્જેક્ટેડ મોટરસાઈકલમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.  નવી હાઈટેક બાઈક્સમાં વરસાદનું પાણી ઈસીયુ અને ઈલેક્ટ્રીક પાર્ટ્સને જલ્દી નુકસાન પહોંચાડે છે.

હવે વાત ફોર વ્હીલરની કરીએ.. તો સૌથી પહેલા એ જાણી લો કે

પાણીમાં ગાડી કેમ બંધ પડે છે?

જ્યારે પણ ભરાયેલ વરસાદી પાણીમાંથી ગાડી કાઢવામાં આવે છે, ત્યારે એર ફિલ્ટર (Air filter)માં પાણી જવાથી ગાડી બંધ થઇ જતી હોય છે. ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં જયારે ગાડી કાઢતા હોય ત્યારે કાર ઓટોમેટિક હોય કે મેન્યુઅલ પહેલા કાર ધીમે કરવી. જો કાર મેન્યુઅલ હોય તો પહેલા ગિયરમાં ધીરે ધીરે કારને પાણીમાંથી કાઢવી જોઈએ. બને ત્યાં સુધી ક્લચનો ઉપયોગ ન કરવો અને એક્સેલેટરથી કંટ્રોલ કરવો જોઈએ.

જો ગાડી બંધ પડી જાય તો શું કરવું?

જ્યારે પણ પાણીમાં કાર બંધ પડે તો ચાલુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. કાર ટો દ્વારા અથવા અન્ય રીતે વર્કશોપમાં લઈ જવી અને ત્યાં તેમને રીપેર કરાવવી જોઈએ. જો ચાલુ કાર પાણીમાં બંધ પડી જાય તો તેને સેલ ક્યારેય મારવો નહીં. જયારે પણ સેલ મારવામાં આવે છે ત્યારે કારનું સકશન પાણીને ખેંચી લે છે અને કારના એન્જિન સુધી પાણી પહોંચતા કારને નુકશાન કરે છે.

ચોમાસામાં આટલી સાવચેતી જરૂરી

ચોમાસાની શરૂઆત થતાં જ કાર ચૅક-અપ (Car check-up) કરાવી લેવું, જેથી કરીને બેટરી અને બીજા નાનામોટા પ્રોબ્લેમને ટાળી શકાય. બને ત્યાં સુધી જ્યાં પાણી ભરાયેલું હોય તે વિસ્તારમાં કાર ના લઈ જવી જોઈએ. બસ આટલી સાવચેતી રાખશો તો નહીં કરવો પડે કોઈ મુશ્કેલીનો સામનો.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">