Jamnagar: સિક્યોરિટી એજન્સીનાં માલિક પોતોના ઘરની સુરક્ષા કરવામાં જ નિષ્ફ્ળ, 100 તોલા દાગીનાની ચોરી બાદ પોલીસ જાગી
Jamnagar : દિવસે-દિવસે ચોરીના બનાવો વધવા લાગ્યા છે. જામનગરમાં(Jamnagar) નવાગામ ઘેડ આનંદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ખાનગી સિક્યુરિટીના સંચાલકના મકાનને ગુરુવારે રાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
Jamnagar : દિવસે-દિવસે ચોરીના બનાવો વધવા લાગ્યા છે. જામનગરમાં(Jamnagar) નવાગામ ઘેડ આનંદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલકના(Security Agency) મકાનને ગુરુવારે રાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી 100 તોલા સોનાના દાગીનાની ઉઠાંતરી કર્યાનો કિસ્સો સામે આવતાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જામનગર એલસીબી, એસઓજી અને સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
માહિતી અનુસાર, જામનગરમાં રોયલ રાજપુતાના નામની ખાનગી સિકયુરિટી એજન્સી ચલાવતા આફતાબભાઈ મુનવર અલી શેખના બે માળ પૈકીના નીચેના ભાગના બંધ રહેણાંક મકાનને ગુરુવારે રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનની અંદર ઘૂસી જઈ દિવાલમાં ફીટ કરેલી લાકડાની તિજોરીના દરવાજાનું લોક તોડી 100 તોલા દાગીના લઈને ફરાર થઇ ગયા હતા.
પોલીસે કોઈ જાણભેદુ તસ્કરોનું કારસ્તાન હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસ વિસ્તારના સીસીટીવી કેમેરાઓ પણ તપાસવાનું શરૂ કરવામાં આવ્યું છે.