Indian Idol controversy: અમિતકુમારનાં સમર્થનમાં આવ્યા સોનુ નિગમ, મનોજ મુંતશીર અને આદિત્ય નારાયણ પર સાધ્યું નિશાન

સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઇડલ' આજકાલ ઘણી ચર્ચામાં છે. થોડાક સમય પહેલા, કિશોર કુમારના પુત્ર અમિત કુમાર આ શોમાં મહેમાન તરીકે આવ્યા હતા. જે બાદ તે વિવાદિત નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 02, 2021 | 1:44 PM

સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ (Indian Idol 12) આજકાલ ઘણી ચર્ચામાં છે. થોડાક સમય પહેલા, કિશોર કુમારના પુત્ર અમિત કુમાર આ શોમાં મહેમાન તરીકે આવ્યા હતા. જે બાદ તે વિવાદિત નિવેદનની સાથે ચર્ચામાં આવ્યા હતા. હવે શોના જ્જ સોનુ નિગમ અમિત કુમારના સમર્થનમાં આવ્યા છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક વીડિયો શેર કર્યો છે. ગાયકે વીડિયોમાં ટ્રોલ્સ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ વાતને આગળ ન વધારો.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા સોનુ નિગમે (Sonu Nigam) કેપ્શનમાં લખ્યું કે, ‘ એક સંદેશ બધા માટે ઈન્ડિયન આઇડલ અને અમિતકુમાર જી વિશે, સાથે હું તમને જણાવી દઉ કે કિશોર કુમાર જીને અમિત કુમાર જી કરતાં વધારે કોઈ નથી જાણતું.’

વીડિયોમાં સોનુ જણાવી રહ્યા છે કે ‘ઈન્ડિયન આઇડલ’ ને લઈને થોડા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. હું આ અંગે મૌન હતો, પણ મને લાગે છે કે હવે મારે બોલવું જોઈએ. અમિત કુમાર જી હમણાં જ આવ્યા છે, તે ખૂબ મોટા માણસ છે, તે કિશોરકુમાર જીના પુત્ર છે. મને લાગે છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂઆત કરવામાં આવ્યા છે.

ગાયક સોનુ નિગમ આગળ કહે છે, ‘અમિત કુમાર જી સીધા અને શિષ્ટ માણસ છે. તે કંઈ બોલે નહીં, તમે તેનો લાભ લઈ રહ્યા છો. હું ‘ઇન્ડિયન આઇડલ’ ટીમને કહેવા માંગુ છું કે આપણે આ વિવાદનો અંત લાવવો જોઈએ. તેમા ન તો ઇન્ડિયન આઇડલનો દોષ છે કે ન અમિત કુમારજીનો દોષ છે, આમા દોષ તે લોકોનો છે કે જેઓ વચ્ચે આવીને આ બાબતને ફરીથી ઉછાળી રહ્યા છે જેમકે મનોજ મુન્તાશિર જી અને આદિત્ય.

હું આ બધા લોકોને કહેવા માંગુ છું કે તમારે અમિત કુમાર જી વિશે કંઇ ન કહેવું, તે ખૂબ સિનીયર વ્યક્તિ છે, અને આપણી ઇન્ડસ્ટ્રીમાં સિનીયર લોકોનો આદર થાય છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Sonu Nigam (@sonunigamofficial)

 

તમને જણાવી દઈએ કે ‘ઇન્ડિયન આઇડલ 12’ (Indian Idol 12) ત્યારે વિવાદમાં આવ્યો હતો જ્યારે કિશોર કુમાર (Kishore Kumar) ના ખાસ એપિસોડમાં તેમના પુત્ર અમિત કુમાર (Amit Kumar) ને બોલાવવામાં આવ્યા હતા. તે મહેમાન તરીકે શોમાં જોડાયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરે શોમાંથી બહાર આવ્યા બાદ કહ્યું હતું કે તેમને સ્પર્ધકોની પ્રશંસા કરવાનું શો મેકર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું, જ્યારે તેમને કોઈ પણ સ્પર્ધકનું પ્રદર્શન સારુ લાગ્યું ન હતું. આ પછી ‘ઇન્ડિયન આઇડલ’ ના ઘણા ચાહકો અને સેલેબ્સે તેમની ટીકા કરી હતી. આ શોના જ્જ મનોજ મુન્તાશીરે (Manoj Muntashir) પણ આ વિવાદ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">