Gir-Somnath: વેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં ખારવા યુવકની હત્યાથી ચકચાર, છરીના આડેધડ ઝીંક્યા ઘા

Gir-Somnath: ચાઇનીઝની રેકડી ચલાવતા ખારવા યુવાન સાથે સામાન્ય બાબતમાં ત્યાં આવેલા શખ્સની બોલાચાલી થઇ હતી. પરિણામે શખ્સે યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:01 AM

Gir-Somnath: વેરાવળમાં યુવકની છરીના ઘા મારી હત્યા (Murder) કરવાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય બોલચાલ માં છરીથી હત્યા કરાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. જણાવી દઈએ કે ખારવાવડ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગ પાસે આ ઘટના બની હતી. જ્યાં અજાણ્યા શખ્સ દ્વારા સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા (Veraval Murder case) કરાઈ હોવાનું સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર મૃતકનું નામ જતીન વિઠ્ઠલભાઈ બાંડિયા છે.

મળેલી વિસ્તૃત માહિતી અનુસાર વેરાવળમાં સમીસાંજે આ ઘટના બની હતી. જ્યાં ચાઇનીઝની રેકડી ચલાવતા ખારવા યુવાન સાથે સામાન્‍ય બાબતમાં ત્યાં આવેલા શખ્સની બોલાચાલી થઇ હતી. આ દરમિયાન એક શખ્‍સએ છરીના આડેઘડ ઘા ઝીંકી યુવકની હત્યા કરી દીધી. હત્યાની જાણ પોલીસ અઘિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા. ત્યાં સુધી આરોપી ફરાર થઇ ગયો હતો.

જો કે ભાગી છુટેલા આરોપી શખ્‍સને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવીલ હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હત્યાની જાણ થતા વિસ્તારમાં ચકચાર મચી ગયો. ખારવા સમાજના લોકો મોટી સંખ્‍યામાં સિવિલમાં દોડી ગયા હતા. તો ખારવા સમાજના આગેવાનોએ પોલીસ અઘિકારીઓને પણ હત્‍યારાને ઝડપી લેવા રજૂઆત કરી હતી.

 

આ પણ વાંચો: Kutch: નેર ગામે દલિત પરિવાર પર મંદિરમાં પ્રવેશ મુદ્દે હુમલાની ઘટનામાં સામા પક્ષે નોંધાવી ફરિયાદ! જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: 30 નવેમ્બર પહેલા Pensioners જમા કરે Life Certificate નહીંતર અટકી શકે છે Pension, જાણો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની રીત

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">