Rajkot : મેળામાં પહોંચવા લોકોએ જોખમમાં મુક્યો જીવ, કોઝવે પરના ધસમસતા પાણીમાંથી પસાર થયા, જુઓ Video

રાજકોટના (Rajkot) આટકોટમાં જીવના જોખમે પણ લોકો મેળાની (Fair) મજા માણવા માટે કોઝ વે પર પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 4:26 PM

રાજકોટના (Rajkot) જસદણના આટકોટ સ્થિત અંબાજી મંદિરે પરંપરા મુજબ જન્માષ્ટમીનો (Janmashtami) મેળો યોજાયો. પરંતુ આ મેળામાં (Fair) જવા માટે અનેક લોકોએ પોતાનો જીવ જોખમમાં મુક્યો. ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના કારણે મેળા તરફ જતો કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. કોઝવે પરથી મોટા પાયે પાણી વહી રહ્યું છે. તેમ છતાં અસંખ્ય લોકો આ ધસમસતા પાણીમાંથી પસાર થઇને મેળામાં પહોંચ્યા. લોકો જીવના જોખમે કોઝવે પાર કરતા જોવા મળ્યા.

રાજકોટના આટકોટમાં જીવના જોખમે પણ લોકો મેળાની મજા માણવા માટે કોઝ વે પર પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થયા. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે કોઝવે પરથી ધસમસતા વેગે પાણી વહી રહ્યું છે. તેમ છતાં બાળકોથી માાંડીને વૃદ્ધો એમ સૌ કોઇ જોખમ ખેડી કોઝવેના પાણીમાંથી પસાર થઇ રહ્યા છે. મંદિરમાં જવા માટે બીજો રસ્તો હોવા છતાં લોકો પાંચવડાના રસ્તે કોઝવેના પાણીમાંથી પસાર થઇને મેળાના સ્થળે પહોંચ્યા. પરંતુ સવાલ એ છે કે જો કોઇ દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ ? બીજો રસ્તો ઉપલબ્ધ હોવા છતાં લોકો શા માટે જીવના જોખમે કોઝવે પાર કરી રહ્યા છે ?

જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, રાજ્યમાં અનેક જગ્યાએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટ (Rajkot) શહેરમાં પણ પરંપરાગત મેળો યોજાતો હોય છે.  લોકમેળામાં હજારો લોકો તહેવારોની મજા માણવા ઉમટી પડ્યા છે અને મ્હાલી રહ્યા છે. આ મેળો 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે. લોકમેળાને લઈને પોલીસ કમિશનર દ્વારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુલ 18 પાર્કિંગ ઝોન (parking zone) રાખવામાં આવ્યા છે. આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ, PGVCL, મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે. આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">