Video: જંત્રી મુદ્દે હાલ કોઈ નવી રાહત નહીં, 4 ફેબ્રુઆરી બાદના દસ્તાવેજ કે સ્ટેમ્પ પેપરની ખરીદી પર લાગશે નવા દર

Gandhinagar: જંત્રી મુદ્દે અમદાવાદ બિલ્ડર એસોસિએશન સરકાર સામે કેટલાક વાંધાઓ અને સૂચનો રજૂ કર્યા હતા. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે કે 4 ફેબ્રુઆરી બાદના દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા હશે તો તેના પર નવી જંત્રીના દર જ લાગુ પડશે. તેમા કોઈ ફેરફાર થશે નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 8:30 PM

જંત્રીના નવા દરની અમલી મુદ્દે રાજ્ય સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે, 4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા હશે તો તેના પર નવી જંત્રીના દર જ લાગુ પડશે. જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વિવિધ બિલ્ડર્સ એસોસિએશને સાથે ચર્ચા કરી છે, બેઠકમાં અધિકારીઓ પણ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની જાણ પછીથી કરવામાં આવશે.

મહત્વનું છે કે આ તરફ જંત્રીના નવા દર લાગુ પડતા બિલ્ડર એસોસિએશન અસંતુષ્ટ થયા હોવાનો ઘાટ ઘડાયો છે. જેને લઈ કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને ખાસ કરીને બિલ્ડર લોબી સળંગ બે દિવસમાં બે વખત મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચૂકી છે. આજે પણ અમદાવાદ બિલ્ડર એસોસિએશને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી, જેમાં નવી જંત્રીને 3 મહિના બાદ લાગુ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

બિલ્ડર્સ એસોસિએશનની એવી પણ માગ છે કે જમીનની જંત્રી અને બાંધકામની જંત્રી અલગ અલગ રખાય. જમીનની જંત્રીમાં 50 ટકાનો વધારો અને બાંધકામની જંત્રીમાં 20 ટકાનો જ વધારો કરાય. તો FSI માટે ભરવાની જંત્રી જે 40 ટકા છે તેને માત્ર 20 ટકા કરાય.

આ પણ વાંચો: Gujarati Video : જંત્રી મુદ્દે બિલ્ડર એસોશિએશને CM ભુપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક, હકારાત્મક પ્રતિક્રિયા મળ્યાનો બિલ્ડર્સનો દાવો 

બિલ્ડર્સ એસોસિએશને એવુ પણ સૂચન કર્યુ છે કે 45 લાખથી ઓછાના મકાનો જે અફોર્ડેબલ હાઉસિંગમાં આવે છે તેમાં 22 લાખથી 45 લાખની વચ્ચેની કિંમતના દસ્તાવેજોમાં જંત્રી ડબલ થઇ જશે. જ્યારે 22 લાખથી ઓછાના મકાનોમાં જ રાહત મળશે. એટલે સરકાર 22 થી 45 લાખ સુધીના અફોર્ડેબલ હાઉસિંગ માટે પણ યોગ્ય નિર્ણય લે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">