VALSAD : મોતની છલાંગ લગાવનાર યુવકનો સ્થાનિક તરવૈયાએ જીવ બચાવ્યો, જુઓ લાઇવ રેસ્કયું
જિલ્લાની પાર નદીના પુલ પરથી ધવલ ટંડેલ નામના યુવકે આત્મહત્યા માટે છલાંગ લગાવી હતી. અને યુવકે છલાંગ લગાવતો જોઇએ એક સ્થાનિક તરવૈયાએ તાત્કાલિક નદીમાં છલાંગ મારી હતી.
VALSAD : કહેવાય છેને કે રામ રાખે તેણે કોણ ચાખે, એટલે કે જીવનમરણ તો ભગવાનના હાથમાં જ છે. પરંતુ, કોઇનો જીવ બચાવવા કયારેક ઘણા નિમિત બનતા હોય છે. આવું જ કંઇક વલસાડ જિલ્લામાં સામે આવ્યું છે. જિલ્લાની પાર નદીના પુલ પરથી ધવલ ટંડેલ નામના યુવકે આત્મહત્યા માટે છલાંગ લગાવી હતી. પરંતુ, ભગવાનને આ પસંદ ન હતું. અને યુવકે છલાંગ લગાવતો જોઇએ એક સ્થાનિક તરવૈયાએ તાત્કાલિક નદીમાં છલાંગ મારી હતી. અને, યુવકનો જીવ બચાવ્યો હતો. જોકે યુવકના છલાંગ લગાવવાનું કારણ હજું અકબંધ છે.
Latest Videos
Latest News