Vadodara : ખ્રિસ્તી સંસ્થા દ્વારા ધર્મ પરિવર્તનનો ખેલ, રાષ્ટ્રીય બાળ આયોગના ઇન્સ્પેકશન દરમિયાન સંસ્થામાં શંકાસ્પદ પ્રવૃતિઓ થતી હોવાનો રિપોર્ટમાં ખુલાસો
આ મામલે મિશનરીઝ ઓફ ચેરીટીસ મધર ટેરેસા આશ્રમના સિસ્ટર રોસ્ટ્રેસાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છેકે આ સંસ્થામાં વિવિધ આરોગ્ય પ્રવૃત્તિઓ થાય છે. 24 બાળકો છે,અહીં તેઓને અભ્યાસ કરાવવામાં આવે છે. ધર્મપરિવર્તન જેવું કંઈજ થયું નથી,
વડોદરામાં ખ્રિસ્તી સંસ્થા દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ખ્રિસ્તી સંસ્થા વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.રાષ્ટ્રીય બાળ આયોગના ઇન્સ્પેકશન દરમિયાન સંસ્થામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.રિપોર્ટ બાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મિશનરી ઓફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગિરલ્સ સંસ્થાના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.મહત્વનું છે કે કલેકટરને અપાયેલા રિપોર્ટ બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.
તો બીજી તરફ સંસ્થામાં કામ કરતી મહિલાએ તમામ આરોપ ફગાવ્યાં અને કહ્યું કે અહીં કોઇ ધર્મ પરિવર્તન નથી કરાતું.પોલીસે કયા આધારે ફરિયાદ નોંધી તે એક સવાલ છે.
આ મામલે મિશનરીઝ ઓફ ચેરીટીસ મધર ટેરેસા આશ્રમના સિસ્ટર રોસ્ટ્રેસાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છેકે આ સંસ્થામાં વિવિધ આરોગ્ય પ્રવૃત્તિઓ થાય છે. 24 બાળકો છે,અહીં તેઓને અભ્યાસ કરાવવામાં આવે છે. ધર્મપરિવર્તન જેવું કંઈજ થયું નથી,અમે પ્રાર્થના કરીએ છે, અમને જોઈને તેઓ ફોલો કરતા હોય શકે છે,પહેલા આવતા હતા, હવે નથી આવતા. એ છોકરીએ લગ્ન પછી ધર્મ પરિવર્તન કર્યું છે. fir શુ વિચારીને કર્યું અમને કાઈ ખબર નથી. અમે હિન્દૂ સમાજમાં જમાં જ લગ્ન કરાવીએ છે. કોઈ બાળકનું ધર્મ પરિવર્તન નથી કરાવ્યું તેવું પણ તેમણે ઉમેર્યું છે.
આ પણ વાંચો : IND vs SA : દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ચિંતાજનક સમાચાર, મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત
આ પણ વાંચો : Sourav Gangulyએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં આઈસીસી ખિતાબનો દુષ્કાળ ખતમ કરશે